________________
છે. મોહમૂઢતાથી આજ કાર્ય-અકાર્યનું તે ભાન છે ભૂલી બેઠો છે. કર્તવ્યને અકર્તવ્ય અને અકર્તવ્યને કર્તવ્ય માની રહ્યો છે. આવી બેહાલ ચિત્તસ્થિતિમાં સદ્ભાવ ક્યાંથી પ્રગટે ? સ્નેહની સરવાણી ક્યાંથી વહે ? )
એક સાવધાની રાખશો ? જેના પ્રત્યે તમારા હૃદયમાં મૈત્રી હોય, નેહ હોય, સદ્ભાવ હોય, એવી વ્યક્તિ તમારા મૃત્યુ સમયે તમારી પાસે હોવી જોઈએ ! એ વ્યક્તિ જો તમે અંતિમ ધર્મઆરાધના કરાવશે તો તમે જીવન જીતી જવાના. મૃત્યુ પર વિજય પામી જવાના. મિત્રના શબ્દો હૃદયને સ્પર્શતા હોય છે ! સ્નેહના શબ્દો અંત:કરણમાં પહોંચતા હોય છે. મિત્ર તમને પરમાત્માનું નામસ્મરણ કરાવશે... એ તમારા આત્મભાવમાં રમી જશે ! આ રીતે તમે પણ બીજાના મિત્ર બનીને બીજાનાં જીવન અને મૃત્યુને સુધારી શકો. સહુ જીવો પ્રત્યે સ્નેહભાવરૂપ મૈત્રીનો સદ્ભાવ સ્થિર કરો.
૯૬ ૯ સંવાદ