________________
અહિત નહીં કરું ? બીજાને ક્યારેય દુઃખી નહીં જ કરું ? બીજાના સુખની ઇર્ષ્યા નહીં કરું. પાપીનો - તિરસ્કાર નહીં કરું ? દેશ અને દુનિયાની વાત જવા ) દો, તમારી શેરી અને શહેરની વાત પણ જવા દો, તમારા કુટુંબીજનો પ્રત્યે, તમારા સગા-સંબંધી પ્રત્યે, તમારા સ્નેહી સ્વજનો પ્રત્યે તો તમારું હૈયું, તમારું મન આવું બોલે છે ને ? તમારા જે ઉપકારી છે તેમના માટે તો તમે આવું બોલો છો ને ? તમારા પરિચિતો માટે મનમાં મૈત્રીનો સદ્ભાવ, સ્નેહનો સદ્ભાવ રહે છે ને ?
એક વાત સમજી રાખો. તમારું મન થોડું પણ શુદ્ધ હશે તો જ તે ચિત્તમાં ધર્મનો જન્મ થઈ શકશે. “ઘર્ષ વિત્તમઃ' ધર્મ શુદ્ધ ચિત્તનું ઉત્પાદન છે. Religion is a production of pure mind! ઉપકારી મનુષ્યો પ્રત્યે વિધેયાત્મક મૈત્રી ન બાંધી શકો, ન રાખી શકો, પણ નિષેધાત્મક મૈત્રી તો રાખી શકો ને ? એટલું પણ જો ન કરી શકો તો તમે પશુઓથી પણ ગયા ! પશુઓ પણ આવી મૈત્રી રાખે છે ! કૂતરાઓ ઉપકારી પ્રત્યે અપકાર નથી કરતાં. ઉપકારીનું અહિત નથી કરતા. હું નાનો હતો ત્યારે એક સિંહની વાર્તા સાંભળી હતી.
જંગલમાં એક સિંહના પગમાં કાંટો ખૂંપી ગયો. કાંટાના લીધે એને પીડા થાય છે. તે લંગડો ચાલે છે. થોડુંક ચાલીને એ એક ઝાડ નીચે બેસીને પોતાના પગને જુએ છે. ત્યાંથી એક મુસાફર પસાર થાય છે, તેણે સિંહ સામે જોયું. સિંહની આંખોમાં ક્રૂરતા ન હતી પરંતુ તીવ્ર વેદના હતી. મુસાફરને સિંહ પર દયા આવી. જરાય ગભરાયા વિના તે સિંહની પાસે ગયો. તેનો પગ જોયો. પગમાં ખૂંપેલો કાંટો પ્રેમથી બહાર કાઢી નાંખ્યો. સિંહે રાહતનો દમ લીધો, અને પ્રસન્નતાથી મુસાફરનું શરીર સુંબું. મુસાફર પોતાના રસ્તે ચાલ્યો ગયો.
એ મુસાફર કોઈ અપરાધમાં ફસાયો. રાજાએ તેને મોતની સજા ફટકારી. રાજાની મોતની સજા કરવાની પદ્ધતિ અનોખી હતી. રાજમહેલની એક બાજુ તેણે નાનકડું મેદાન બનાવ્યું હતું. તેની ચારે બાજુ ઊંચી ઊંચી
૯૪ ૦ સંવાદ