________________
૨૪. સ્નેહ એટલે ?
સમાઘ
શિષ્ય: ‘ગુરુદેવ સ્નેહની સાચી વ્યાખ્યા શું છે ?”
ગુરુ ‘વત્સ, સ્નેહ એટલે સદ્ભાવ.’
મહાનુભાવો, મૈત્રીની એક પરિભાષા છેઃ ‘સ્નેપરિળામો મૈત્રી ।’ એનો અર્થ આ જ છે : સ્નેહ એટલે મૈત્રીનો ભાવ. મૈત્રીનો ભાવ શ્રેષ્ઠ સદ્ભાવ છે. દુનિયામાં સદ્ભાવો ઘણા પ્રકારના હોય છે. એ બધા જ સભાવોમાં મૈત્રીનો ભાવ ઉત્કૃષ્ટ સદ્ભાવ છે.
એનો અર્થ એ થાય કે જે જે જીવો પ્રત્યે આપણને સ્નેહ હોય તે બધા જ જીવો પ્રત્યે મૈત્રીભાવ જોઈએ. મહર્ષિઓએ તો જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ-સદ્ભાવ રાખવાનો ઉપદેશ આપેલો છે. આપણે ત્યાં જૈન ધર્મમાં તો ‘મિત્તિમે સવ્વમુત્તુ’ ‘સર્વે જીવો મારા મિત્ર છે,’ આવી કબૂલાત આપવામાં આવે છે ! પરંતુ બોલનારા પ્રાકૃત ભાષાનું સૂત્ર બોલી જાય છે, એનો અર્થ અંતઃકરણને સ્પર્શતો નથી ! નહીંતર તમે કોઈપણ મનુષ્યને તો નહીં જ, કોઈ પશુ-પક્ષીને પણ શત્રુ ન માની શકો... ‘આ દુનિયામાં કોઈ જીવ મારો શત્રુ નથી.' આ વાત પણ તમારે સ્વીકારવી જ પડે, જો તમે બધા જ જીવોને તમારા મિત્ર માનો છો તો ! અને માનો છો તો ખરા જ ! માટે ‘મિત્તિને સવ્વભૂએસ બોલો છો !
મૈત્રી એટલે સ્નેહ અને સ્નેહ એટલે સદ્દભાવ. તમારે બીજાઓને સાવ જ આપવાનો છે. એટલે કે બીજી જીવોના હિતનો જ વિચાર કરવાનો છે ! ‘પરહિતચિંતા મૈત્રી' મૈત્રીભાવની આ પરિભાષા તમારે યાદ રાખવાની છે. ‘મારે બીજા જીવોના હિતનો જ વિચાર કરવાનો છે. હું કોઈનું અહિત નહીં વિચારું.’ શું તમારું હૈયું બોલે છે કે હું બીજા જીવાનું
સ્નેહ એટલે ? સદભાવ ૦૯૩