________________
આ તો હમણાં જ વાંચેલા બે પ્રસંગ તમને કહ્યા. બાકી જ્ઞાનમાં નિમગ્ન મહાત્માઓના આત્માનંદની અનુભૂતિનાં અનેક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં વાંચવા મળે છે ને વર્તમાનકાળે પણ એવા આત્મદર્શી જ્ઞાનાનન્દી મહાત્માઓ જોવા મળે છે.
રહિતતા અવધાન
આપણી વાત તો એ છે કે આત્મભાવમાં વધુ ને વધુ રમણતા કેળવતા રહો. જ્યાં મન બીજા વિષયોમાં જાય કે ‘હું મૃત્યુ પામ્યો !’ આ વિચાર ઝબકી જવો જોઈએ. એવી જ રીતે પ્રત્યેક ધર્મક્રિયા કરતાં પણ તમારે તેમાં જ મનોપયોગ જોડવાનો છે. તે તે ક્રિયાને અનુરૂપ મનોપયોગ હોવો જોઈએ.
જ્ઞાનમાર્ગને છેડે સમાજને આચાર્ય જડે છે. કર્મમાર્ગના છેડે સમાજને યોગી જડે છે. ભક્તિમાર્ગના છેડે સમાજને સંત મળે છે અને ત્રણે બાબતો એક જ વ્યક્તિમાં સમન્વિત રીતે પ્રગટ થાય ત્યારે સમાજને ઋિષ મળે છે ! આ ૨૧ વાતો એવા એક ઋષિએ કહેલી છે. કેટલી માર્મિક છે ? જે યોગ્ય લાગે તે જીવનમાં ગ્રહણ કરજો.
૯૨૦ સંવાદ