________________
બીજો એક પ્રસંગ તમને કહું. સુલતાન મહમૂદ ગઝનવી દુનિયાને લૂંટી ઘૂંટીને માલદાર બન્યો હતો. અઢળક સંપત્તિ અને અગણિત વિજયોએ તેને ગુમાની બનાવ્યો હતો. તેને પ્રસિદ્ધ ફિલસૂફ હઝરત શેખ અબુલહસનની પરીક્ષા કરવાનું મન થયું. તે પાલખીમાં બેસીને પાંચસો અંગરક્ષક સૈનિકો સાથે શેખના મુકામે ગયો. વાજાં વગડાવતી શાહી સવારી હજરતના મુકામે પહોંચી. પણ શેખ તો કુરાને શરીફ વાંચતા મસ્તીથી બેઠા હતા. તેમણે ન તો બેંડવાજાં સાંભળ્યાં કે ન સુલતાનનો શાહી ઠાઠ જોયો. હાથમાં તસબી ફરતી જાય અને કુરાને શરીફનું વાંચન ચાલતું જાય ! આ હતી હઝરતની જ્ઞાનમગ્નતાનો આનંદ ! એ બાદશાહોના
પણ બાદશાહ હતા.
chole
રહિતતા
સુલતાન ભોંઠો પડ્યો. પોતાના આગમનની હજરતે નોંધ પણ લીધી નહીં, તેથી તે અકળાયો. પછી ખોંખારો ખાઈને હજરતની સામે બેઠો, ત્યારે હજરતે તેની સામે જોયું. તસબી નીચે મૂકી. કુરાન બંધ કર્યું. પૂછ્યું : ‘શું કામ પડ્યું ભાઈ ?’
સુલતાન વધુ ભોંઠો પડ્યો. તેણે સોનામહોરો ભરેલી થેલી હજરતનાં ચરણોમાં ભેટ ધરી. હજરતે તેમાંથી એક સોનામહોર કાઢી દાંતથી ચાવી જોવાનો પ્રયત્ન કર્યો. સોનામહોર ન તૂટી એટલે મોં બગાડીને થેલી પાછી આપી.
‘ભાઈ, આનાથી ભૂખ ભાંગે નહીં, એટલે આની કોઈ કિંમત નથી. લઈ જા.'
સુલતાન વધુ ભોંઠો પડ્યો. શરમાયો. ઉપદેશ સાંભળવાની વિનંતી કરી. હજરતે અમીરી અને ફકીરીમાં કોણ ચઢે તે સમજાવ્યું ! ફકીરીમાં જીવન છે, અમીરીમાં મૃત્યુ છે ! હું ફકીરીનું પૂરું સન્માન કરું છું. હું જીવનને ચાહું છું !'
સુલતાન ત્યાંથી પગે ચાલતો નગરમાં ગયો. હજરત વળાવવા ગયા.
મૃત્યુ શું છે ? અવધાનરહિતતા
૯૧