SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ રહિતતા અવધાન પાછળ વેડફાઈ જાય તે કેટલું મોટું નુકસાન કહેવાય ? ભલે તમે ગૃહસ્થ છો. ગૃહસ્થ છો પણ સાથે સાથે શ્રાવક છો ને ? શ્રાવિકા છો ને ? શ્રાવિકા પણ જ્ઞાનાનંદમાં રમણતા કરી શકે ! હા, સંસારનાં કાર્યો કરતાં કરતાં પણ ભીતરમાં તમે જાગૃતિ રાખી શકો છો. ઘરમાં જાગૃતિ રાખી શકો, ઑફિસમાં પણ જાગૃતિ રાખી શકો. તમારા અંતઃકરણ ઉપર અધિકાર તમારો જ રાખો. શરીર અને ઇન્દ્રિય વિષયોમાં પ્રવૃત્ત થાય ત્યારે મને એનાથી અલિપ્ત રાખી શકો. એક પ્રસંગ કહું. મલાયાના રબ્બરના ખેતરોમાં મજૂરી કરનારાના ચિકિત્સક કુષ્ણુસ્વામી ૧૯૨૨ના એક દિવસે દરદીની નાડ તપાસતા હતા ત્યાં એમની નાડીના ધબકારા વધી ગયા. દરદીને શારીરિક દર્દ હતું, ડૉક્ટરને આત્મિક દર્દ ઊપડ્યું. અંદરથી અવાજ આવ્યો. “ઊઠ, ઊભો થા, ચાલવા માંડ. નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કર ! જાગૃત થા.” અંતરનો સાદ તો સૌ કોઈને સંભળાતો હોય છે પણ મોટાભાગના લોકો સાંભળતા નથી. ઉપેક્ષા કરે છે. તેઓ મરેલા રહે છે. કુપુસ્વામીએ સરવા કાને નરવો અવાજ સાંભળ્યો અને દાક્તરી છોડી મદ્રાસ ગયા. શરીરની તંદુરસ્તીનું ઘણું કામ કર્યું, હવે મનની તંદુરસ્તી, આત્માની તંદુરસ્તીનું કામ કરીએ.” તેઓ કાશી પહોંચ્યા. ત્યાં ન રહ્યા. અવાજ આવ્યો : “ઊભો થા ને ચાલવા માંડ... આગળ વધે.’ પહોંચ્યા હૃષીકેશ. ત્યાં રહી જવાનું મન થયું ત્યાં અવાજ આવ્યો. ઊભો થા, ચાલવા માંડ... ચરૈવતિ ચરૈવતિ... ! હિમાલયમાં પહોંચ્યા. ૧૯૨૪માં સન્યાસ લીધો. કુષ્પસ્વામી શિવાનંદ સરસ્વતી બની ગયા ! જ્ઞાનોપાસનામાં લીન બન્યા. ૩૦૦થી વધુ પુસ્તકો ધર્મ ને અધ્યાત્મનાં લખ્યાં. સ્વાધ્યાય, પ્રભુભક્તિ, સત્સંગ, યોગ, ધ્યાન આદિ દ્વારા શાશ્વતધામ સુધી પહોંચાડનાર દિવ્ય પુલ પણ બાંધી દીધો ! દિવ્ય જીવનનો પુલ ! જાગૃતિનો પુલ ! અવેરનેસ આવી ગઈ. ૯ ૦ ૦ સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy