________________
વાંધો નહીં, તમે એ રોગોને મનમાં ન પ્રવેશવા ( દો! મનને પ્રસન્ન રાખો, મનને આનંદથી ભરેલું રાખો. એ રોગો તમને હેરાન નહીં કરી શકે.
દેહ છે એટલે દુઃખ-દર્દ તો રહેવાનાં જ. પરંતુ સંયમમય જીવન હશે તો એ દુઃખ-દર્દ ઓછાં થવાનાં. સહન કરવાની ને શક્તિ વધવાની ! માટે શરીરને નીરોગી રાખવાનું ધ્યાન રાખો. તે માટે મોજ શોખ ઓછા કરો. વધુ પડતી દોડધામ ન કરો. શાન્તિથી ને આનંદથી જીવન જીવવાનો સંકલ્પ કરો. જીવનમાં અર્થ અને કામપુરુષાર્થ જરૂરી હોય છે પણ તેને જ સર્વસ્વ ન માનો. તેને માત્ર સાધન માનો. ધર્મપુરુષાર્થ પર ધ્યાન કેન્દ્રિત કરો.
શરીરને સ્વસ્થ-નીરોગી રાખવા જેમ ઓછું ખાવાનું, ઓછી વસ્તુઓ ખાવાની, તેમ મહિનામાં એક-બે ઉપવાસ પણ કરી લેવા જોઈએ. ઉપવાસ ન થાય તો આયંબિલ કરવું જોઈએ... અને શક્ય હોય તો ઉકાળેલું પાણી (ઠંડું કરીને) પીવું જોઈએ. માનવશરીરનું સૌભાગ્ય આરોગ્ય છે અને માનવશરીર ધર્મપુરુષાર્થનું પહેલું સાધન છે.
'शरीरमाद्यं खुल धर्मसाधनम् ।'
0 એવાદ