________________
રાત્રે ખુલ્લા આકાશ નીચે લારી-ગલ્લા પાસે ઊભા રહી... અકરાંતિયા બનીને પાઉં-ભાજી ખાઓ છો... પાણી-પુરી ખાઓ છો... અને બીજી અનેક અભક્ષ્ય વસ્તુઓ પેટમાં ભરે રાખો છો... ત્યારે તમે જાણે ખાવા માટે જ જીવો છો, એમ નથી લાગતું ? જીવવા માટે ખાવાનું છે કે ખાવા માટે જીવવાનું છે ? તમે ખાવામાં... મનગમતું ખાવામાં સુખ માનો છો ? ના, શરીરની નીરોગિતામાં સુખ છે ! જો શરીર રોગી થઈ ગયું તો બધાં સુખ ચાલ્યાં જવાનાં. જો શરીરમાં ‘ડાયાબિટીઝ’, ‘પ્રેશર’ અને ‘હાર્ટટ્રબલ' શરૂ થઈ ગઈ, તો તમારે કેટલી બધી સુખ-સગવડો છોડવી પડશે ? કેટલું બધું ખાવા-પીવાનું છોડવું પડશે ? ‘શરીરની સ્વસ્થતામાં સુખ રહેલું છે,' “પહેલું સુખ તે જાતે નર્યા” આ વાત તમે તમારા હૃદયની ભીંત પર લખી રાખો.
heleno
શરીરના આરોગ્ય માટે જેવી રીતે ખાન-પાનમાં સાવધાની રાખવાની છે તેવી રીતે બીજી પણ કેટલીક વાતોની કાળજી રાખવાની છે.
તમારે નિયમિત સૂઈ જવું જોઈએ ને પૂરી નિદ્રા લેવી જોઈએ. જો તમને પાંચ-છ કલાક ઊંઘ ન આવે તો પણ સ્વાસ્થ્ય બગડી શકે.
તમારા શરીરને ધોડો વ્યાયામ-કસરત પણ જોઈએ. પરિશ્રમ જોઈએ. જો થોડો પણ વ્યાયામ નહીં મળે તો શરીર બગડી શકે.
તમારી પાંચ ઇન્દ્રિયો અને મન પ્રસન્ન રહેવાં જોઈએ. જો તમે ચિંતાઓ, ઉદ્વેગ અને પરિતાપમાં બળશો તો પણ તમારું આરોગ્ય બગડશે. ‘પ્રસન્નાસ્મેન્દ્રિયમઃ ।'
તમારો આત્મા નિરંતર પ્રસન્ન રાખો. તમારું મન પ્રફુલ્લિત રાખો. તમારી ઇન્દ્રિયોને જાગ્રત રાખો. તમારું આરોગ્ય સલામત રહેશે ! આ વાત ઘણી જ મહત્ત્વની છે. ભલે, કોઈ પાપકર્મના ઉદયથી શરીરમાં રોગ પેદા થયા હોય, તમે ખાવા-પીવામાં અને તમામ જીવન-વ્યવહારમાં સાવધાન હો, સંયમી હો, છતાં પાપકર્મ-પૂર્વજન્મોનાં ઉદયમાં આવે ને રોગો જન્મે,
શરીરનું સૌભાગ્ય શું ? આરોગ્ય ૮૭