SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આરોગ્ય ૨૨. શૌરનું સૌભાગ્ય શું ? મારોગ શિષ્ય : ‘ગુરુદેવ, શરીરધારીનું પહેલું સુખ કયું ?' ગુરુ : ‘વત્સ ! આરોગ્ય પહેલું સુખ છે.’ આજે આપણે એ શરીરનો વિચાર કરવાનો છે કે જે ધર્મપુરુષાર્થનું પહેલું અને શ્રેષ્ઠ સાધન છે ! શરીરથી જ બધા પુરુષાર્થ થઈ શકે છે. શરીર સ્વસ્થ હોય, નીરોગી હોય તો પુરુષાર્થમાં પાછા ન પડાય. અલબત્ત, સફળતા મળવી ન મળવી તે દરેક જીવના પ્રારબ્ધ પર નિર્ભર હોય છે. સ્વસ્થ શરીરની વ્યાખ્યા ‘સુશ્રુતસંહિતા'માં આ રીતે બતાવવામાં આવી છે. “समदोषः समाग्निश्च समधातुमलक्रियाः । प्रसन्नात्मेन्द्रियमनः स्वस्थ इत्यमिधीयते ।। " જેમના વાત-પિત્ત અને કફ સમાનરૂપે કાર્ય કરતા હોય, અર્થાત્ વિષમ ન હોય, પાચનશક્તિ સારી હોય, રસઆદિધાતુ અને મળોની ક્રિયા સમ હોય તથા આત્મા, ઇન્દ્રિયો અને મન પ્રસન્ન હોય, એને સ્વસ્થ કહેવાય. શરીરના આરોગ્ય માટે લગભગ આ શ્લોકમાં બધું જ કહી દેવામાં આવ્યું છે. તમે એવું ભોજન કરો કે વાયુનો પ્રકોપ ન થાય, પિત્તના ઉછાળા ન આવે. છાતીમાં કફનો ભરાવો ન થઈ જાય. તમારી પ્રકૃતિનો ખ્યાલ તમને હોવો જોઈએ. તમારી કફ-પ્રકૃતિ હોય તો કફને વધારે એવી વસ્તુઓ ખાવી-પીવી ન જોઈએ. એ રીતે તમારી વાયુપ્રકૃતિ હોય તો ગૅસ કરે તેવાં પદાર્થો ન ખાવા-પીવા જોઈએ. પિત્તપ્રકૃતિ હોય તો એ રીતે જ શરીરનું સૌભાગ્ય શું ? આરોગ્ય ૦ ૮૫
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy