SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww ન ઉપયોગથી રૂપી પદાર્થનો અભ્યાધિક સામાન્ય બોધ. ૪. કેવળ દર્શન : જગતના તમામ ક્ષેય રૂપી-અરૂપી પદાર્થોનો સામાન્ય બોધ, આ દર્શન અતિન્દ્રિય છે. જીવસૃષ્ટિનું પરિજ્ઞાન સંસળિોમુવત્તાઝ ૨-૧૦ સંસારિણી મુક્તાશ્ચ ૨-૧૦ સંસારિણઃ મુક્તાઃ ચ ર-૧૦ સમસ્ત વિશ્વમાં અનંત જીવરાશિ છે, તે ચૈતન્યલક્ષણથી સમાન છે. તેના મુખ્ય બે ભેદ છે. ૧. સંસારી અને ૨. મુક્ત સંસારી : જે જીવો કર્મવશ સંસારની ચારે ગતિમાં ભ્રમણ કરે છે તે સંસારી છે. સંસાર અનાદિથી છે. સંસારી જીવો પણ અનાદિ છે. મુક્ત : જે જીવો સત્પુરુષાર્થ વડે કર્મબંધનો સર્વથા નાશ કરે છે તે જીવો મુક્ત છે, તેમનું પરિભ્રમણ હોતું નથી. પણ લોકાગ્રે સિદ્ધશીલા ઉપર અશરીરીપણે શાશ્વતપણે રહે છે. સમનામના ૨-૧૧ સમનસ્કાડમનસ્કાઃ ૨-૧૧ સમનસ્ક – અમનસ્કાઃ ૨-૧૧ મનયુક્ત અને મનરહિત એવા સંસારી જીવના બે ભેદ છે. મનવાળા સંશી જીવ અને મન વગરના અસંશી કહેવાય છે. મન : મનના બે પ્રકાર છે. ૧. ભાવમન. ૨. દ્રવ્યમન. જેનાથી વિચાર કરી શકાય એવી આત્મપ્રેરિત શક્તિ તે ભાવમન છે. અને વિચાર કરવામાં સહાયક એક પ્રકારના સૂક્ષ્મ મનોવર્ગણાના પરમાણુઓ તે દ્રવ્યમન છે. અર્થાત્ મનોવર્ગણાના પુદ્ગલો તે દ્રવ્યમાન છે અને વિચાર કરવાની, મનન કરવાની શક્તિ તે ભાવમન છે. દેવ, મનુષ્ય, ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો ૫૪ જ તત્ત્વમીમાંસા ૫ CODEDOOMOODDOOMOOLASSOCO જ નજર રજા ન કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy