________________
ગતિ ચાર, ચાર કષાય, ત્રણ લિંગ, મિથ્યાત્વ અજ્ઞાન, અસંયમ અસિદ્ધત્વ, છ લેશ્યા કુલ ૨૧ ભેદો છે. ઔદયિક ભાવની સર્વ અવસ્થા કર્મજનિત છે.
ગતિ ઃ ગતિનામકર્મના ઉદયનું ફળ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવપણે ચાર ગતિ છે. તે તે ગતિના ઉદયકર્મથી જીવ તે તે ગતિને પામે છે.
કષાય ? કષ એટલે સંસાર – આય-વૃદ્ધિ. સંસારભાવની વૃદ્ધિ કરાવનાર કષાય છે, તે મોહનીય કર્મનો વિપાક છે, તે તે પ્રકૃતિના ઉદયથી જીવમાં ક્રોધાદિ કષાયો ઉત્પન્ન થાય છે.
લિંગ : વેદ. વેદ એટલે મૈથુન – કામવાસના. તેના ત્રણ પ્રકાર છે. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, તે તે વેદકર્મના ઉદયથી જીવમાં વિજાતીય કામવાસના ઉત્પન્ન થાય છે. સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીની; નપુંસકને બંનેની વાસના ઊઠે છે.
મિથ્યાત્વ : દર્શનમોહનીય મુખ્ય પ્રકૃતિનો ઉદય તે મિથ્યાત્વ છે, જીવને તત્ત્વાદિ આત્મશ્રેયમાં શ્રદ્ધા થવા ન દે.
અજ્ઞાન : જ્ઞાનવરણીય અને દર્શનાવરણીયના ફળરૂપે જીવમાં અજ્ઞાન રહે છે.
અસંયમ : ચારિત્ર મોહનીયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનીના કુલ બાર કષાયના ઉદયથી જીવમાં અસંયમના ભાવ થાય છે. દેશવિરતિમાં કંઈક અલ્પતા થાય છે. પણ પૂર્ણપણે સંયમભાવ થતો નથી.
અસિદ્ધત્ત્વ : નામ આદિ અઘાતી કર્મોના ઘણાં કર્મોના ભારથી 'સિદ્ધત્વ-અશરીરીપણું થતું નથી.
લેશ્યા : છ છે. લેગ્યા એક પ્રકારના આત્મના અધ્યવસાય છે. કષાયના ભાવથી રંજિત થયેલા યોગના પરિણામ કે યોગની પ્રવૃત્તિ
૫૦ જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org