SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ સત્ પદાર્થ અને અસત્ પદાર્થની વિશેષતા સમજી ન શકવાથી મિથ્યાદૃષ્ટિનું મતિ આદિ જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે. વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ, સામાન્યવિશેષ, જેવા અનેક ધર્મો-ગુણો હોવા છતાં, મિથ્યાદૃષ્ટિ વસ્તુને ક્યાં તો નિત્ય કે અનિત્ય જ માને, એ ઉન્મત્તતા અજ્ઞાનરૂપ છે. દરેક વસ્તુ સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર, કાળ-ભાવથી સ્વમાં વિદ્યમાન છે, પરન્દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ અસત્-અવિદ્યમાન છે. જેમકે ખુરશી ખુરશીપણે છે પણ ટેબલરૂપે નથી. જીવ જીવરૂપે છે પણ દેહરૂપે નથી. દેહમાં એકક્ષેત્રે હોવા છતાં બંને પદાર્થો ભિન્ન છે. ક્ષેત્ર અપેક્ષાએ અભિન્ન છે છતાં એકાંત માનવું તે મિથ્યાજ્ઞાન છે. એક હાથી બીજા પ્રાણીઓ રતાં બળવાન છે પણ સિંહ આગળ નિર્બળ હોય છે. કોઈ પ્રોફેસર બે-પાંચ ભાષા જાણે છતાં કોઈ એક ભાષાથી અજ્ઞાન હોઈ શકે છે. આમ અપેક્ષાએ વિચારવાથી વિવાદ ટળે છે. नैगम-संग्रह-व्यवहारर्जुससूत्रशब्दा नयाः નૈગમ-સંગ્રહ-વ્યવહારજ્જુસૂત્રશબ્દા નયાઃ નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દા નયાઃ आद्यशब्दौ द्वित्रिभेदौ આદ્યશબ્દૌ ઢિત્રિભેદો આદ્ય-શબ્દો દ્રિ-ત્રિ-ભેદૌ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ – એમ - પાંચ નય છે. ૧-૩૪ ૧-૩૪ ૧-૩૪ ૧-૩૫ ૧-૩૫ ૧-૩૫ આદ્ય-નૈગમના બે અને શબ્દના ત્રણ ભેદો છે. નય : અપેક્ષા, અભિપ્રાય, દૃષ્ટિ, કોઈ પદાર્થનો જુદી જુદી રીતે વિચાર કરવામાં આવે તે નય છે. Jain Education International ૩૮ ૪ તત્ત્વમીમાંસા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy