SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જ w wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ, અને દેવના મનના વિચારોને જાણે છે. સ્વામી : અવધિજ્ઞાન ચારેય ગતિમાં રહેલા સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જીવોને પ્રાપ્ત થાય છે. મનઃ પર્યવજ્ઞાન : મનુષ્યગતિમાં સાતમે ગુણસ્થાનકે વર્તતા સંયમી જીવોને ઉત્પન્ન થાય છે. તે ૬થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે. વિષય : અવધિજ્ઞાનનો વિષય સર્વ રૂપી દ્રવ્યો છે અને અલ્પ પર્યાયો છે. તેમાં મનના સ્કૂલ-સ્પષ્ટ પર્યાયોનો સમાવેશ થાય છે. સૂક્ષ્મનો થતો નથી. મન:પર્યવજ્ઞાનનો વિષય ફક્ત મનોવર્ગણાના પુદ્ગલો અને પર્યાયો હોવાથી અવધિજ્ઞાનના વિષયથી અનંતમા ભાગ પ્રમાણ છે. અવધિજ્ઞાન કરતાં મન:પર્યયજ્ઞાન વિશેષ શુદ્ધ છે. તેથી તેનું મહત્ત્વ વિશેષ છે. દા.ત. એક વ્યક્તિ ઘણાં શાસ્ત્રો જાણે પણ એકમાં નિપુણતા ન હોય. અને કોઈ વ્યક્તિ એક જ શાસ્ત્રને ઘણી વિશદતા અને સૂક્ષ્મતાથી જાણે. વળી જેમ કોઈ એક ડૉક્ટર આંખ, કાન વગેરેનું સામાન્ય જ્ઞાન ધરાવે છે. પરંતુ જે ડૉક્ટર ફક્ત આંખનું જ જ્ઞાન સૂક્ષ્મતાથી ધરાવતો હોય તો તેનું જ્ઞાન સૂક્ષ્મ અને તે રોગ માટે સ્પષ્ટ હોય છે. તેમ અવધિજ્ઞાનીનું ક્ષેત્ર વધુ અને બધા રૂપી પદાર્થોને જાણે પણ મન:પર્યવજ્ઞાની ફક્ત મનના જ વિચારોને જાણે પણ તે જ્ઞાન વધુ સૂક્ષ્મ છે, અને વિશુદ્ધ છે. મતિ શ્રુતનો વિષય : मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ૧-૨૭ મતિશ્રુતયોર્નિબન્ધઃ સર્વદ્રવ્યધ્વસર્વપર્યાયેષુ ૧-૨૭ મતિકૃતયોઃ નિબન્ધઃ સર્વદ્રવ્યષુ અસર્વપર્યાયેષુ ૧-૨૭ ૩૪ તત્વમીમાંસા અમને, જીજે wwwwwwwwwwwwwwwww Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy