________________
અંતરંગ કારણ શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે.
અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો તફાવત એ છે કે મતિજ્ઞાન ઇન્દ્રિયો દ્વારા વિદ્યમાન વસ્તુમાં પ્રવૃત્ત થાય છે.
શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયોમાં પ્રવૃત્ત થાય છે, તેમાં મનોવ્યાપારની પ્રધાનતા હોવાથી વિચારણાની અધિકતા છે.
જે જ્ઞાન ભાષામાં ઊતરે તે શ્રુતજ્ઞાન, અને ભાષારૂપ બને તે મતિજ્ઞાન. મતિજ્ઞાન દૂધ છે અને શ્રુતજ્ઞાન ખીર છે. •
મતિ શ્રુતજ્ઞાન ક્રમશઃ પ્રવર્તે છે છતાં તેમાં એટલી શીઘતા હોય છે કે સામાન્ય રીતે આપણને બંને સાથે પ્રવર્તતાં જણાય છે. જેમકે કોઈ ચિત્ર આંખથી દેખાય કે તરત જ તેનો ખ્યાલ આવે છે.
, મતિ શ્રુતજ્ઞાનનો અલ્પાંશ પણ નિગોદ, એકેન્દ્રિયથી માંડીને સર્વ જીવોમાં હોય છે. તેથી દરેક જીવો પોતાની ક્ષમતા પ્રમાણે સુખ મેળવવા પ્રવૃત્ત રહે છે. - કીડી જેવું જંતુ કોઠારમાં ઘણા પ્રકારના પદાર્થોમાંથી સાકરને જલ્દી શોધી લે છે. જેમ જેમ ઇન્દ્રિયોની ક્ષમતા વધે તેમતેમ મતિ શ્રુતનો વિકાસ થતો જણાય છે. * શ્રુતજ્ઞાનના બે ભેદ ઃ ૧. અંગપ્રવિષ્ટ ૨. અંગબાહ્ય
અંગપ્રવિષ્ટ : તીર્થકર દ્વારા પ્રકાશિત જ્ઞાનને એમના પરમ શિષ્યો ગણધરોએ ગ્રહણ કરી દ્વાદશાંગી (બાર અંગ) રૂપે સૂત્રબદ્ધ કર્યું. (શ્લોક પ્રમાણ કરી મુખપાઠ રાખતા). તેમની રચના અતિશય સંપન્ન હતી.
અંગબાહ્ય : બુદ્ધિબળ, આયુષ્યાદિનો અલ્પતા થતી જોઈ સર્વસાધારણ જીવોના હિતને અર્થે આચાર્યોએ કાળ પ્રમાણે શ્રુતની રચના કરી તે અંગબાહ્ય.
અંગપ્રવિષ્ટના રચયિતા ગણધરો અને અંગબાહ્યના રચયિતા આચાર્યો છે. શાસ્ત્રો અનેક છે, અને નવા રચાશે તે સર્વેનો અંગબાહ્યમાં સમાવેશ થશે. નિર્મળ બુદ્ધિથી રચાયેલા શાસ્ત્રો જીવોની પાત્રતા પ્રમાણે બોધદાયક
અધ્યાય : ૧ • સૂત્ર : ૨૦ જ ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org