SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ • આપણા શરીરની રચના પરથી પાંચ ઇન્દ્રિયોનો ક્રમ સમજાશે. પગથી માથા સુધી ત્વચા (ચામડી). મોઢાથી શરૂ કરીએ તો ત્વચા પછી રસના, નાક, ચક્ષુ અને કાન (શબ્દ) એમ ક્રમ થશે. વળી મહદ્અંશે જીવનો વિકાસક્રમ પણ આ ક્રમથી છે. જીવ પ્રથમ એક ઇન્દ્રિયવાળો એટલે સ્પર્શવાળો, પછી વિકાસના ક્રમે રસના ઘ્રાણ, આંખ અને કાન ઇન્દ્રિયોને પામી તે તે ઇન્દ્રિયોવાળો મનાય છે. આ પાંચે ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે. આ પાંચે ઇન્દ્રિયો બાહ્યસાધન છે, અને મન અંતરંગ સાધન છે. મતિજ્ઞાનમાં સર્વ પ્રથમ વિષય સાથે ઇન્દ્રિયનો સંબંધ થાય છે, કે તરત તે ઇન્દ્રિયો સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ દ્વારા મનને ખબર પહોંચે છે. ત્યારે ભાવમન-આત્માને તે વિષયનું લક્ષ્ય થતાં તે વિષયનું મતિજ્ઞાન થાય છે. આ જ્ઞાનમાં પણ કેટલી સૂક્ષ્મતા છે તે હવે અન્ય ભેદો દ્વારા જણાવે છે. अवग्रहेहापायधारणाः અવગ્રહેહા પાય ધારણાઃ અવગ્રહ-ઈહા-અપાય-ધારણા: રસન પ્રાણ (નાક) નેત્ર (આંખ) શ્રોત્ર (કાન) મન મુખ્ય ચાર ભેદો છે. અર્થાત્ આ ચાર ભેદવાળું મતિજ્ઞાન છે. તે દરેક ઇન્દ્રિયો અને મન સાથે સંબંધ ધરાવે છે. સ્પર્શન Jain Education International મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા ઈહા ઈહા ઈહા ઈહા ઈંહા ઈહા ૨૨ ૪ તત્ત્વમીમાંસા ૧-૧૫ ૧-૧૫ ૧-૧૫ અવગ્રહ અવગ્રહ અવગ્રહ અવગ્રહ. અવમહે અવગ્રહ For Private & Personal Use Only અવાય અવાય અવાય અવાય અવાય અવાય ધારણા ધારણા ધારણા ધારણા ધારણા ધારણા www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy