SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ MAMMUNNUNOV ૩. સાઘન-નિમિત્ત ઃ સમ્યગ્રદર્શન સ્વાભાવિક રીતે અથવા કોઈ નિમિત્ત મળવાથી ઉત્પન્ન થાય છે. સવિશેષ મિથ્યાત્વ મોહનીયના તથા અનંતાનુબંધી ચાર કષાયના ઉપશમ. ક્ષય કે ક્ષયોપશમથી ઉત્પન્ન થાય ૪. અધિકરણ-સ્થાનઃ સમ્યગુદર્શનનું સ્થાન આત્માના શુદ્ધ પરિણામ છે. ---- - - ૫. સ્થિતિ, કાળ : ઉપશમ સમ્યકત્વનો કાળ અંતર્મુહૂર્ત છે. ક્ષાયિકનો સાદિ અનંત છે. એકવાર પ્રાપ્ત થયા પછી સદા સાથે જ રહે છે. ક્ષયોપશમ સમ્યકત્વનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્તથી માંડીને ૬૬ સાગરોપમ સુધીનો છે. ૬. વિધાન-પ્રકાર : સમ્યકત્વના ઉપશમ ક્ષાયિક, અને ક્ષયોપશમ મુખ્ય પ્રકાર છે અને વેદક તથા સાસ્વાદનના પ્રકારો પણ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ નવી વસ્તુ જુએ ત્યારે તે વસ્તુ વિષે જાણવાની તેને જિજ્ઞાસા થાય છે. અને તેને માટે વિવિધ પ્રશ્નોના ઉત્તર મેળવી જ્ઞાનવૃદ્ધિ કરે છે. તત્ત્વોને વિશેષરૂપે જાણવાની શાસ્ત્રીય પદ્ધતિ : सत्-सङ्ख्या-क्षेत्र-स्पर्शन-कालान्तर-भावाल्पबहुत्वैश्च સત્સંખ્યા-ક્ષેત્ર-સ્પર્શન-કાલાન્તર-ભાવાલ્પબહુવૈશ્ચ ૧-૮ સત્સં ખ્યા-ક્ષેત્ર-સ્પર્શન-કાલ-અન્તર-ભાવ-અલ્પબહુ ચ. ૧-૮ સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર ભાવ અને અલ્પબદુત્વ આ આઠ પ્રકારે તત્ત્વોનું વિશેષ જ્ઞાન થઈ શકે છે. ૧. સતું = સત્તા ઃ નામ વડે ઓળખાતા કોઈપણ વસ્તુ-પદાર્થની વિદ્યમાનતા, પદાર્થનું હોવું. કોઈપણ પદાર્થ પરિવર્તન પામે પણ તેનો સમૂળગો નાશ ન થાય. મનુષ્યની અવસ્થા બદલાઈ દેવલોકમાં જાય - - - - - - - - -- ---- અધ્યાય : ૧ • સૂત્ર : ૮ જ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy