________________
શરીરમાં હોય છે. તેથી જેટલું શરીરનું બંધારણ નબળું તેટલું મન નબળું અને મનોબળ વગર ધ્યાનમાં ચિત્તની સ્થિરતા ટકતી નથી, અથવા તે ઘણી અલ્પ હોય છે. તેથી તેની ઉત્તમ ધ્યાનમાં ગણના કરી નથી. - સામાન્ય જીવોની જ્ઞાનધારા ક્ષણે ક્ષણે વિવિધ વિષયોને અવલંબીને ચાલતી હોય છે, તેથી તે પવનથી હાલતી દીપશિખાની જેમ અસ્થિર હોય છે. તેવી જ્ઞાનધારા અનેક વિષયો પરથી ખેંચી કોઈ એક ઈષ્ટ વિષયમાં સ્થિર કરવી તેને જ્ઞાન કહે છે. એવું ઉત્તમ ધ્યાન અસર્વજ્ઞ છપ્રસ્થને હોય છે, તે બારમા ગુણસ્થાનક સુધી હોય છે. સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયા પછી તેમાં ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગરૂપ ધ્યાન અવસ્થા છે. અર્થાત્ સર્વજ્ઞની અવસ્થા બાનાંતર છે. કારણ કે ચિંતન માટે તેમને ચિત્ત હોતું નથી. તેરમા ગુણ સ્થાનકના અંતમાં જ્યારે ત્રણે યોગના વ્યાપારનો વિરોધ ક્રમ શરૂ થાય છે ત્યારે વચન અને મનના નિરોધ પછી ચૂલ કાયિક વ્યાપાર-ક્રિયાનો નિરોધ પ્રથમ થાય છે. પછી સૂક્ષ્મકાયિક વ્યાપારના સમયે “સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી' નામનું શુક્લધ્યાન હોય છે.
ચૌદમાં ગુણસ્થાનમાં સંપૂર્ણ અયોગીપણાની દશામાં શૈલીકરણ વખતે નિષ્કપદશા હોય છે. તે સમુચ્છિત્રક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન છે. આ બંને ધ્યાનના પ્રકારનાં ચિત્તવ્યાપાર ન હોવાથી તેને છબસ્થની જેમ એકાગ્ર ચિત્ત નિરોધરૂપ ધ્યાન નથી. તેથી ધ્યાનના વિષયને વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. માત્ર કાયિક સ્કૂલ વ્યાપારને રોકવો તે પણ અપેક્ષાએ ધ્યાન છે, આત્મપ્રદેશની નિષ્કપતા એ પણ ધ્યાન છે.
લાંબા સમય સુધી શ્વાસઉચ્છવાસને રોકવા જેવા પ્રકારોને જૈનદર્શન બાન તરીકે સ્વીકારતું નથી. કારણ કે સૂક્ષ્મપણે પણ શ્વાસની ક્રિયાચાલુ રહે છે. તેનો અર્થ એટલો કે એક અવલંબનમાં ધ્યાન કરી પુનઃ તેનો પ્રવાહ લંબાવવો તેવું છદ્મસ્થનું ધ્યાન હોય છે.
ભરતક્ષેત્રમાં વર્તમાન કાળમાં સામાન્ય કોટિનું ધ્યાન હોય છે. ઉત્કૃષ્ટ કોટિના ધ્યાન માટે જોઈતી માનસિક એકાગ્રતા શરીરબળ પર
અધ્યાય : ૯ • સૂત્ર : ૨૭ જ ૩૪૩
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org