SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્ત્ર, હીરા-મોતી વગેરે તમામ ભૌતિક કે પૌદ્ગલિક પદાર્થો અજીવ છે. ૩. પુણ્યતત્ત્વ શુભ કર્મ – જેના ઉદયથી જીવને સુખભોગની સામગ્રી મળે, સુખનો અનુભવ થાય. ૪. પાપતત્ત્વ અશુભ કર્મ – જેના ઉદયથી જીવને પ્રતિકૂળ સામગ્રી મળે, દુઃખનો અનુભવ થાય. ૫. આશ્રવતત્ત્વ કર્મનું આવવું. નૌકામાં છિદ્ર દ્વારા જેમ પાણી આવે તેમ જીવના શુભાશુભ પરિણામ દ્વારા કર્મોનું આવવું તે શુભ કે અશુભ આશ્રવ છે. ૬. સંવરતત્ત્વ આત્માની વિશિષ્ટ શક્તિ વડે આવતાં કર્મોનું રોકાઈ જવું, રાગાદિ ભાવોનું રોકાઈ જવું. ૭. નિર્જરાતત્ત્વ ખરી જવું, નિર્જરવું. આત્માની વિશુદ્ધ શક્તિ વડે દ્રવ્ય કર્મોનો અંશે અંશે નાશ થવો. રાગાદિ ભાવકર્મોનો નાશ થવો. ૮. બંધતત્ત્વ અજ્ઞાન દશામાં જીવના પરિણામનું નિમિત્ત પામી કર્મોનું આત્મપ્રદેશો સાથે દૂધ-પાણીની જેમ ભળી જવું અથવા લોખંડ અને અગ્નિની જેમ સંબંધ થવો. ૯. મોક્ષતત્ત્વ સંપૂર્ણ કર્મોનો સર્વથા નાશ થવો અને આત્મામાં શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું. યાદિ સ્વરૂપ આ નવ તત્ત્વોની સમજ અને યથાર્થ શ્રદ્ધા માટે શેય, ઉપાદેય અને તેમનું સ્વરૂપ સમજવું જરૂરી છે. નામ વ્યાખ્યા, તત્ત્વોનાં નામ શેય જાણવાયોગ્ય જીવ, અજીવ ઉપાદેય આદરવાયોગ્ય પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ હેય તજવાયોગ્ય પાપ, આશ્રવ અને બંધ જગતમાં વ્યાપ્ત સર્વ પદાર્થો સ્વભાવથી શેયરૂપ છે. પરંતુ પરમાર્થથી નામ અને જન્મ અધ્યાય : ૧ • સૂત્ર : ૪ ૪ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy