SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ : : નાના રાજા જનતાના નાના ટકી શકે તેવી રીતે કાયાને કસવી. લોચ, ઉગ્ર વિહાર, વિવિધ આસનો દ્વારા લાંબો સમય આસનસ્થ રહેવાય તેવી રીતે કાયાને કેળવવી. બાહ્ય તપ દ્વારા દેહની મૂછ ઘટે છે, ઈન્દ્રિયોનો સંયમ કેળવાય છે. અત્યંતર તપના છ પ્રકાર प्रायश्चित्त-विनय-वैयावृत्त्य-स्वाध्याय-व्युत्सर्ग ध्यानान्युत्तरम् ૯-૨૦ પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃજ્ય-સ્વાધ્યાય-બુત્સર્ગ ધ્યાનાક્યુત્તરમું ૯-૨૦ પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃજ્ય-સ્વાધ્યાય-બુત્સર્ગ ધ્યાનાનિ ઉત્તરમ્ ૯-૨૦ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એમ છ પ્રકાર ઉત્તર-અત્યંતર તપના છે. ૧. પ્રાયશ્ચિત્ત : પ્રાય = અપરાધ, ચિત્ત = શુદ્ધિ લીધેલા વ્રતાદિમાં દોષ થાય ત્યારે તેની શુદ્ધિ માટે આલોચના કરવી તે પ્રાયશ્ચિત્ત તપ છે. ૨. વિનય : જ્ઞાન અને જ્ઞાનીજનો પ્રત્યે, તથા ગુણવાનો પ્રત્યે બહુમાન વડે વિનય કરવો. વિનય માનસિક ક્રિયા છે. ૩. વૈયાવૃત્ય : સાધુ-આચાર્ય આદિ મહાત્માઓની સેવા કરવી. વૈયાવૃત્ય શરીર સાથે સંબંધ રાખે છે. ૪. સ્વાધ્યાય : શાસ્ત્ર-શ્રુતનો સ્વ અર્થે અભ્યાસ. તત્ત્વજ્ઞાન માટે શાસ્ત્રદિનો અભ્યાસ કરવો. ૫. વ્યુત્સર્ગ : કાયોત્સર્ગ, દેહભાવનો ત્યાગ. બિનજરૂરી બાહ્ય પદાર્થોનો ત્યાગ કરવો. દેહના અહમ્ મમત્વનો ત્યાગ કરવો. . ધ્યાન : શુદ્ધ વિષયની ચિત્તની એકાગ્રતા. ૩૩% જ તત્ત્વમીમાંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy