________________
અગ્નિ આદિની ઇચ્છા કરવી એ પરિષહ અજય છે.
૪. ઉષ્ણ : અતિશય તાપની વેદના એ ઉષ્ણ પરિષહ છે. તાપની વેદના સહન કરવી. જો સહન ન થાય તો સંયમને બાધ ન આવે તેમ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેનાં પ્રતિકાર માટે ઉપાય કરવો. ઉપાય કરવા છતાં વેદના દૂર ન થાય તો શાંતિથી સહન કરવી. એ ઉષ્ણ પરિષજય છે. તાપની વેદના સહન થઈ શકે તેમ હોવા છતાં સહુને ન કરવી. અથવા તાપની વેદનાને દૂર કરવા પાણીથી સ્નાન, પંખાનો ઉપયોગ વગેરે સંયમબાધક સાવઘ પ્રવૃત્તિની ઇચ્છા કરવી કે પ્રવૃત્તિ કરવી એ પરિષહ અજય છે.
૫. દંશમશક : ડાંશ, મચ્છર, માંકડ આદિના ઉપદ્રવથી થતી વેદના દંશમશક પરિષહ છે. દંશમશક પરિષહ આવતાં તે સ્થાનને છોડીને અન્ય સ્થાને ન જવું, ડાંસ આદિને પીડા થાય તેવી પ્રવૃત્તિ ન કરવી. રજોહરણ આદિથી જીવોને દૂર પણ ન કરવા, કિન્તુ સમભાવે વેદનાને સહન કરવી એ પરિષહ જય છે. તે સ્થાનનો ત્યાગ કરવો કે રજોહરણ આદિથી જીવોને દૂર કરવા એ પરિષહ અજય છે.
૬. નગ્નતા : શાસ્ત્રોક્ત વિધિ મુજબ જીર્ણ અલ્પમૂલ્ય અને અલ્પ વસ્ત્રો ધારણ કરવાં એ નગ્નતા પરિષહ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ વસ્ત્રો ન મળતાં દ્વેષાદિને વશ ન બનવું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ મળેલાં વસ્ત્રોનો ઉપભોગ કરવો એ પરિષહ જય છે, શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વસ્ત્રાદિનો ઉપભોગ કરવો એ પરિષહ અજય છે. અથવા જિનકલ્પ આદિ અવસ્થામાં નગ્ન રહેવું એ નગ્નતા પરિષહ છે. તેમાં લજ્જા ન રાખવી વગેરે પરિષ જય છે. લજ્જા રાખવી વગેરે પરિષહ અજય છે.
૭. અરિત ઃ સંયમનું પાલન કરતાં અતિ ઉત્પન્ન થાય એ અતિ પરિષહ છે. શુભ ભાવનાદિથી અરતિનો ત્યાગ એ પરિષજય છે. અને અત્યાગ એ પરિષહનો અજય છે.
૮. સ્ત્રી ઃ સ્ત્રી સ્વસમક્ષ હાસ્યાદિ ચેષ્ટા કે ભોગ પાર્થનાદિ કરે
૩૨૪ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org