SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ કરતો નથી અને જન્મ વ્યર્થ ગુમાવે છે. જિનેશ્વર પ્રણીત ઘર્મનાં સાધનો નિર્દોષ છે. જે ઘર્મથી જીવ સ્વયં સિદ્ધપણું પ્રાપ્ત કરે તેવો ઉત્તમ યોગ મળ્યો છે. આ જગતમાં જીવો ધર્મને ધારણ ન કરવાથી કેવા દુઃખ પામે છે? સમ્યગુ દર્શનાદિ ધર્મો વડે જીવ સંસારનાં દુઃખોને ઉલ્લંઘી જઈ શાશ્વત સુખ પામે છે તેમ ચિંતવવું. मार्गाऽच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः ૯-૮ માર્ગાચ્યવનનિર્જરાર્થી પરિષોઢવ્યાઃ પરીષહાર ૯-૮ માર્ગ-અચ્યવન-નિર્જરાર્થ પરિષોઢવ્યાઃ પરીષહાઃ ૯-૮ સમ્યગુદર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે એ માટે તથા નિર્જરા માટે સહન કરવા યોગ્ય છે તે પરિષહ છે. પરિષોઢવ્યા = સહન કરવા યોગ્ય પરિષહ: મુનિ ધર્મના સ્વીકારેલ માર્ગમાં આવતા વિશિષ્ટ પ્રકારની સાનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમભાવે ટકવું. આ પરિષહો સહન કરવામાં સંયમ અને તપ બે પ્રકાર બતાવ્યા છે. અર્થાત્ સંવર અને નિર્જરા ધર્મ બતાવ્યો છે. તે દ્વારા પરિષહને સહન કરવવાનો અભ્યાસ થાય છે. જો અભ્યાસ કરવામાં ન આવે અને જીવ ભ્રમમાં રહે કે મારો આત્મા શુદ્ધ છે. હું સંયમધારી છું, પણ જ્યાં પરિષહ આવે ત્યાં મન આકુળવ્યાકુળ બની જાય તો સંયમધારી જીવ પણ પતિત થાય છે. માટે નિરંતર સંયમ અને તપાદિ દ્વારા અભ્યાસ કરવાનું ભગવાને કહ્યું છે. પરિષહોનું વર્ણન સુ-પિપાસા-શીતો-વંશનશિવના ચાતિ-સ્ત્રીવર્યા-નિષા-શથ્થSSોશ-વધવારના નામ રોतृणस्पर्श-मल-सत्कार-प्रज्ञाऽज्ञानाऽदर्शनानि ૯-૯ OSODO - જ ક ૩૨૨ જ તત્ત્વમીમાંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy