________________
નથી. માટે હે જીવ ! મરણ ગમે ત્યારે આવતું હોય છે, તેમ સમજીને જીવનમાં ધર્મનું શરણ ગ્રહી, શુદ્ધતાપૂર્વક તેનું આરાધન કરવું અને આત્મભાવનાને દૃઢ કરવી જેથી અનાદિની અશરણતાનો અંત આવે. ૩. સંસારાનુપ્રેક્ષા :
કર્મવશ જીવ સંસારમાં ચારે ગતિમાં પરિભ્રમણ કરી, ચોર્યાશી લાખ યોનિમાં જન્મમરણનાં દુઃખો અનુભવે છે. એ જન્મમરણ પામતો જીવ તેને સ્વજન કે પરજન જેવું પણ રહેતું નથી છતાં, જ્યાં જન્મ પામે ત્યાં જીવ તે તે સંબંધોને સ્વજન માને છે પણ વળી નવો જન્મ થતાં તે જ જીવો પરજન બને છે. માતા સ્ત્રીપણે કે સ્ત્રી પુત્રીપણે જન્મે છે. આમ જીવો સાથે દરેક જાતના સંબંધો જન્મજન્માંતરે થતાં રહે છે.
રાગદ્વેષથી સંતપ્ત પ્રાણીઓ સ્વાર્થવશ અન્યોન્ય પણ પીડાકારી પ્રવૃત્તિ કરી દુ:ખ ભોગવે છે. સંસારના કોઈ પ્રકારમાં સુખ નથી, પણ મિથ્યા દૃષ્ટિ અને અજ્ઞાનથી જીવ શુભ યોગના ઉદયમાં સુખ માની આત્મસુખો ભૂલી જાય છે અને સુખ પ્રાપ્ત કરવાના ભ્રમમાં આ જન્મના થોડા સુખ માટે ભાવિમાં ઘણાં દુ:ખનું નિર્માણ કરે છે.
સંસારની આવી દુઃખમય સ્થિતિનો વિચાર કરી સંસારભાવને ઘટાડવો, મોહમાયાનો ત્યાગ કરી મુક્ત થવાની ભાવના કરવી. ૪. એકત્વાનુપ્રેક્ષા :
અજ્ઞાનવશ દીર્ઘકાળથી જીવને ભૌતિક ભોગસામગ્રી પ્રત્યે એકત્વ થયું છે, તેથી તે સર્વ પદાર્થોમાં આસક્તિને કા૨ણે જન્મમરણનું ફળ ભોગવવું પડે છે. તે સામગ્રી મેળવવા જે કોઈ પ્રપંચ કરે છે, તેનાથી બંધાતા પાપકર્મનું ફળ તેને પોતાને જ ભોગવવું પડે છે. પુણ્યયોગે ચાકરી કરનાર મળે તો પણ શારીરિક પીડા તો તેને એકલાને જ ભોગવવી પડે છે. આવા દુઃખથી છૂટવા જીવે વિચારવું કે હું મારાં કર્મો વશ જન્મ છું ત્યારે એકલો જન્મ છું, પીડા પણ એકલો જ ભોગવું છું, અને મરણ પણ એકલો જ પામું છું. જીવન દરમ્યાન જે કંઈ મેળવ્યું તેમાંનું કશું જ સાથે લઈ જઈ શકતો નથી. આમ હું એકલો આવ્યો
અધ્યાય : ૯ સૂત્ર : ૭ ૪ ૩૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org