SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કા * કાકા મામા wwwwwwwwww કરવા પર પરિણામની શુદ્ધિનો મહાપુરુષાર્થ છે. મિથ્યાત્વની ગ્રંથિ: રાગદ્વેષના તીવ્ર પરિણામરૂપી ગ્રંથિ, જેને કારણે જીવનું અનાદિકાળથી પરિભ્રમણ થયું છે. યોગાનુયોગ કોઈવાર રાગદ્વેષની મંદતા થાય, પણ વળી પાછો તેની તીવ્રતા વધી જતાં દુર્ભવ્ય (દીર્ધકાળે મુક્તિ પામનાર) જીવ પાછો પડે, અનેકવાર આવી પરિસ્થિતિ સર્જાય છે. અપૂર્વકરણ : હવે જે જીવનું ભવ્યત્વ પરિપાક થયું છે, અર્થાત્ પાત્રતા થઈ છે તે જીવને સાતે કર્મોની સ્થિતિ હીન થાય છે. ત્યારે તે જીવમાં રાગદ્વેષના તીવ્ર પરિણામ થાય છે, એવી ઉદય સ્થિતિને ગ્રંથિદેશ કહે છે. જે અભવ્ય છે તે તો આવા ઉદય સામે ટકતો નથી પણ પાછો વળે છે, હવે જેની પાત્રતા થઈ છે તે જીવમાં અન્ય ગુણો અને ધર્મઅનુષ્ઠાનનું બળ હોવાથી કથંચિત તેનો વર્ષોલ્લાસ – અંતરંગ પુરુષાર્થ અપૂર્વપણે પ્રગટ થાય છે, તેવા શુભ અધ્યવસાયને કારણે મિથ્યાત્વની ગ્રંથિ ભેદી નાંખે છે તે અપૂર્વકરણ છે. દૃષ્ટાંતથી સમજીએ. રેશમની દોરીની ખેંચીને મારેલી ગાંઠ વારંવાર પ્રયત્ન કરવામાં જીવ પાછો પડે પણ એમ પ્રયત્ન કરવાથી થોડી ઢીલી પડેલી ગાંઠ ખૂલી જાય છે. બીજું મોતી અરવિંધ્યું છે તેને પ્રયત્ન કરતાં વિધાઈ જાય છે. તેમ દુર્ભેદ્ય એવી આ રાગદ્વેષની ગ્રંથિનું જોર અત્યંત અલ્પ થઈ જાય . . . અનિવૃત્તિકરણ ત્યારપછી જીવ પોતાના વિશુદ્ધ અધ્યવસાય વડે હવે આગળ વધે છે. ગ્રંથિભેદ કર્યા પછી મિથ્યાત્વના દલિકોને-કોરને હજી ઘટાડે છે. તેને અનિવૃત્તિકરણ-અધ્યવસાય કહે છે. અંતરકરણ આધ્યાત્મિક વિકાસના બળે જીવ હજી આગળ વધે છે. વિશુદ્ધ પરિણામની ધારા વડે મિથ્યાત્વની ઉદય બંધની સ્થિતિને અટકાવી દે ૮ જ તત્ત્વમીમાંસા જરૂર આવવાના હતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy