SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્ અર્થાત્ પ્રશસ્ત ઈર્યા, સમ્યગ્ ભાષા, સમ્યગ્ એષણા સમ્યગ્ આદાન નિક્ષેપ, સમ્યગ્ ઉત્સર્ગ એ પાંચ સમિતિઓ છે. આ બધી સમિતિઓ વિવેક્યુક્ત પ્રવૃત્તિરૂપ હોવાથી સંવર બને છે. સમ્ = સમ્યગ્નિર્દોષ-પ્રશસ્ત. ઇતિ= પ્રવૃત્તિ = સમ્યક્ પ્રવૃત્તિ. સમિતિ સક્રિયાની પ્રવૃત્તિ સ્વરૂપ છે. જોકે ગુપ્તિમાં પણ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. છતાં વિશેષ સમજ માટે સમિતિનું કથન કરવામાં આવ્યું છે. ઈર્યા = (ગમનાગમન) : (૧) ઈર્યા સમિતિ : ઈર્યા એટલે જવું. સંયમની રક્ષાને ઉદ્દેશીને આવશ્યક કાર્ય માટે યુગપ્રમાણ ભૂમિનું નિરીક્ષણ કરવાપૂર્વક જ્યાં લોકોનું ગમનાગમન થતું હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે ધીમી ગતિથી જવું તે ઈર્યાસમિતિ. (૨) ભાષા સમિતિ : ભાષા એટલે બોલવું, જરૂર પડે ત્યારે, સ્વ-પરને હિતકારી, પ્રમાણોપેત આદિ ગુણોથી યુક્ત વચનો બોલવાં તે ભાષા સમિતિ. (૩) એષણા સમિતિ : એષણા એટલે ગવેષણા કરવી, તપાસવું. સંયમના નિર્વાહ માટે જરૂરી વસ્તુ, વસ્ત્ર, પાત્ર, આહાર, ઔષધ આદિ વસ્તુઓની શાસ્ત્રોક્ત વિધિ મુજબ તપાસ કરવી તે એષણા સમિતિ. અર્થાત્ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તપાસ કરીને દોષ રહિત આહાર આદિનું ગ્રહણ કરવું તે એષણા સમિતિ. (૪) આદાન નિક્ષેપ સમિતિ : આદાન એટલે ગ્રહણ કરવું. નિક્ષેપ એટલે મૂકવું. સંયમનાં ઉપકરણોને ચક્ષુથી જોઈને તથા રજોહરણ આદિથી પ્રમાર્જીને ગ્રહણ કરવાં તથા ભૂમિનું નિરીક્ષણ પ્રમાર્જન કરીને મૂકવાં તે આદાન નિક્ષેપ સમિતિ. (૪) ઉત્સર્ગ સમિતિ : ઉત્સર્ગ એટલે ત્યાગ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિનું નિરીક્ષણ પ્રમાર્જન કરીને મલ આદિનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અષ્ટ પ્રવચન માતા તરીકે સંબોધવામાં માનવામાં આવે છે. જેમ માતા બાળકને જન્મ આપે છે, પછી તેનું રક્ષણ અને પોષણ કરે છે, તેને ૩૦૮ ૪ તત્ત્વમીમાંસા Jain Education International GATE For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy