SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ પોતે જે પ્રકૃતિવાળું હોય તે પ્રમાણે જ ફળ આપે. અન્ય કર્મની પ્રકૃતિ પ્રમાણે વિજાતીય ફળ આપે નહિ. જ્ઞાનાવરણ કર્મનો અનુભવ જ્ઞાનને આવૃત્ત કરે, પણ દર્શનાવરણ કે અન્ય પ્રકૃતિમાં આવરણ ન કરે. તે પ્રમાણે અન્ય પ્રકૃતિમાં સમજી લેવું. કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપવાનો અનુભવ બંધનો નિયમ મૂળપ્રવૃતિઓમાં લાગુ પડે છે, ઉત્તર પ્રવૃતિઓમાં નહિ. કારણ કે કોઈ પણ કર્મની એક ઉત્તર પ્રકૃતિ અધ્યવસાયના બળે તે જ કર્મની બીજી ઉત્તર પ્રકૃતિરૂપે બદલાઈ જતી હોવાથી પ્રથમનો અનુભવ બદલાઈ ગયેલી ઉત્તર પ્રકૃતિના સ્વભાવ પ્રમાણે તીવ્ર કે મંદ ફળ આપે છે. જેમકે મતિજ્ઞાનાવરણ જ્યારે શ્રુતજ્ઞાનાવરણ આદિ સજાતીય ઉત્તરપ્રકૃતિરૂપે સંક્રમ પામે ત્યારે મતિજ્ઞાનાવરણનો અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણ આદિ સ્વભાવ પ્રમાણે શ્રુતજ્ઞાનને કે અવધિજ્ઞાનને આવૃત્ત કરે છે. ઉત્તરપ્રકૃતિમાં કેટલીક એવી છે કે સજાતીય હોવા છતાં પરસ્પર સંક્રમ થતી નથી. દર્શનમોહ અને ચારિત્રમોહ પરસ્પર સંક્રમ પામતા નથી. નારક આયુ તિર્યંચ આયુ પરસ્પર સંક્રમ પામતા નથી. પ્રકૃતિ સંક્રમની જેમ બંધકાલીન રસ અને સ્થિતિમાં પણ પાછળથી અધ્યવસાયને બળે ફેરફાર થાય છે. મંદ અને તીવ્ર રસરૂપે ફેરફાર થાય છે. સ્થિતિમાં હાનિવૃદ્ધિ થાય છે. ઉપમા ફળ જ્ઞાના) | આંખે પાટા વિશેષબોધરૂપ જ્ઞાન ન થાય. દર્શના | પ્રતિહાર સામાન્યબોધરૂપ જ્ઞાન ન થાય. વેદનીય મધથી લેપાયેલ દુઃખનો અનુભવ, સુખ પણ અસિની તીક્ષ્ણધાર | પરિણામે દુ:ખ આપનાર બને. ! અધ્યાય : ૮ • સૂત્ર : ૨૩ ૪ ૨૯૩ | કર્મ જ. : - - - - - - - - Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy