SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતાદિનું પાપથી અટકવાનું નિરૂપણ કર્યું છે. રાગદ્વેષ એ કર્મની મુખ્યપણે ગ્રંથિ છે, અને પાંચ આશ્રવ વડે તે પોષાય છે. અર્થાત રાગદ્વેષ શત્રુ છે, અને આશ્રવો શસ્ત્ર છે, શસ્ત્ર છીનવાઈ જતાં શત્રુ નરમ પડે છે, તેમ આશ્રવના અટકી જવાથી રાગદ્વેષ સ્વયં નરમ પડે છે, ત્રેતાદિથી સાધક સંયમમાં આવે છે.કંઈક જાગૃત રહે છે.. પાપથી અટકે ત્યારે તેની આત્મ વિચારણા પ્રબળ બને છે. શ્રાવક અણુવ્રતધારી છે, સાધુ મહાવ્રતધારી છે. બંનેએ વ્રતાદિનું પાલન અતિચાર રહિતપણે કરવાનું છે. તેમાં પણ મહાવ્રતધારીને શુદ્ધ પાલન માટે વિશિષ્ટ પ્રકારે ભાવનાનું બળ વધારવાનું છે. તેમાં પણ મૈત્રી, પ્રમોદ કરુણા અને મધ્યસ્થભાવના ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવનારી છે, જેના વડે કર્મનો નાશ થાય છે. અણુવ્રતધારીને વ્રત ધારણ કર્યા પછી તેમાં દોષ લાગે તો વ્રત દ્વારા જે કર્મ ઘટવા જોઈએ, તેને બદલે વૃદ્ધિ થાય. તે માટે વ્રત ગ્રહણ અને પાલનમાં વિશેષ જાગૃતિ માટે અતિચાર દ્વારા દોષો દર્શાવાય છે. ઉપશમ સમ્યકત્વ અલ્પકાલીન છતાં શુદ્ધ હોવાથી ત્યાં અતિચારનો દોષ નથી. ક્ષાયિક સમ્યકત્વ જીવના શુદ્ધ પરિણામરૂપ છે, સિદ્ધ અવસ્થામાં પણ તેનું હોવાપણું છે, તે અત્યંત નિર્મળ અવસ્થાવાળું હોવાથી તેમાં અતિચારનો દોષ નથી. ક્ષયોપથમિક સમ્યકત્વ અતિચારના દોષસહિત છે. તે અવિરતિ, દેશવિરતિ શ્રાવકને અને સર્વવિરતિ મુનિને પણ હોય છે. કારણ કે ક્ષયોપથમિક સમ્યકત્વમાં સત્તામાં મોહનીય કર્મ પડ્યું છે, અને ઉદયમાં સમ્યકત્વ મોહનીયનું નિમિત્ત રહે છે. અંશે દોષ લાગે છે ત્યારે સમ્યકત્વ મલિન થાય છે પરંતુ નિર્મૂળ થતું નથી. છઠ્ઠા અધ્યાયમાં અશુભામ્રવનું વિશેષપણે નિરુપણ કરવામાં આવ્યું છે. સાતમા અધ્યાયમાં પાપથી અટકવારૂપ, અતિચારને ટાળવા રૂપ અને મહાવ્રતની ભાવનાઓ દ્વારા મહદ્અંશે શુભામ્રવનું નિરુપણ કરવામાં આવ્યું છે. જોકે અશુભાસવનું ફળ અધોગતિ છે, તેમ શુભામ્રવનું ફળ સ્વર્ગ સુધીનું છે, જ્યારે સંવર નિર્જરારૂપ આરાધના શુભ ભાવ હોવા અધ્યાય : ૭ • તત્ત્વદોહન જ ૨૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy