SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણોથી યુક્ત અને વિષાદ, સંસારસુખની ઇચ્છા, માયા અને નિદાન એ ચાર દોષોથી રહિત હોવો જોઈએ. (૧) પ્રસન્નચિત્ત : સાધુ આદિ પોતાના ઘરે આવે ત્યારે, હું પુણ્યશાળી છું, જેથી તપસ્વીઓ મારા ઘરે પધારે છે, એમ વિચારે અને પ્રસન્ન થાય. પણ આ તો રોજ અમારા ઘરે આવે છે, વારંવાર આવે છે, એમ વિચારી કંટાળી ન જાય. (૨) આદર : વધતા આનંદથી પધારો ! પધારો ! અમુકનો જોગ છે, અમુકનો લાભ આપો,’' એમ આદરપૂર્વક દાન આપે. (૩) હર્ષ : સાધુને જોઈને અથવા સાધુ કોઈ વસ્તુ માંગે ત્યારે હર્ષ પામે. વસ્તુનું દાન કરતાં હર્ષ પામે. આપ્યા પછી પણ અનુમોદના કરે. આમ દાન આપતાં પહેલાં, આપતી વખતે અને આપ્યા પછી પણ હર્ષ પામે. (૪) શુભાશય : પોતાના આત્માનો સંસારથી નિસ્તાર કરવાના આશયથી દાન આપે. (૫) વિષાદનો અભાવ ઃઆપ્યા પછી મેં ક્યાં આપી દીધું ! વધારે આપી દીધું ! એમ પશ્ચાત્તાપ ન કરે. કિન્તુ વ્રતીના (તપસ્વીના) ઉપયોગમાં આવે એ જ મારું છે, મારી વસ્તુ તપસ્વીના પાત્રમાં ગઈ એ મારું અહોભાગ્ય ! એમ અનુમોદના કરે. (૬) સંસાર સુખની ઇચ્છાનો અભાવ ઃ દાન આપીને તેના ફળ રૂપે કોઈ પણ જાતના સંસાર સુખની ઇચ્છા ન રાખે. (૭) માયાનો અભાવ : દાન આપવામાં કોઈ જાતની માયા ન કરે. સરળતાથી દાન કરે. (૮) નિદાનનો અભાવ : દાનના ફળ રૂપે પરલોકમાં સ્વર્ગાદિના સુખની માગણી ન કરે. સુખની ઇચ્છાનો અભાવ અને નિદાનનો અભાવ એ બંનેમાં સંસાર સુખની ઇચ્છાનો અભાવ હોવાથી સામાન્યથી અર્થ સમાન છે. છતાં વિશેષથી બંનેના અર્થમાં થોડો ફેર પણ છે. સંસાર સુખની ઇચ્છાના અભાવમાં વર્તમાન જીવનમાં સંસારસુખની ઇચ્છા ન રાખે એ ભાવ છે અને નિદાનના અભાવમાં પરલોકમાં સંસાર સુખની ઇચ્છા ન રાખે એ અધ્યાય : ૭ સૂત્ર : ૩૪ ૪ ૨૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy