SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - જીવિત-આશંસા, મરણ-આશંસા, મિત્ર-અનુરાગ, સુખ-અનુબંધ અને નિદાન કરણ એ પાંચ સંખના વ્રતના અતિચારો છે. (૧) જીવિત-આશંસા : આશંસા એટલે ઇચ્છા. જીવિત એટલે જીવવું. જીવવાની તે જીવિત આશંસા. પૂજા, સત્કાર-સન્માન, પ્રશંસા આદિ ન ખૂબ થવાથી હું વધારે જીવું તો સારું એમ જીવવાની ઈચ્છા રાખવી. (૨) મરણ-આશંસા : પૂજા, સત્કાર સન્માન, કીર્તિ, વૈયાવચ્ચ આદિ ન થવાથી કંટાળીને હું જલદી મરી જઉં તો સારું એમ મરણની ઇચ્છા રાખવી. (૩) મિત્ર-અનુરાગ : મિત્ર, પુત્ર આદિ સ્વજન – સ્નેહીઓ ઉપર મમત્વભાવ રાખવો. (૪) સુખ અનુબંધ : પૂર્વે અનુભવેલાં સુખોને યાદ કરવાં. (૫) નિદાન કરણ : તપ અને સંયમના પ્રભાવથી હું પરલોકમાં ચક્રવર્તી, વાસુદેવ, માલિક રાજા, બળવાન કે રૂપવાન બનું ઇત્યાદિ પરલોકના સુખની ઇચ્છા રાખવી. अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ૭-૩૩ અનુગ્રહાર્થ સ્વસ્યાતિસર્ગો દાનમ્ ૭-૩૩ અનુગ્રહ-અર્થ સવસ્ય અતિસર્ગ દાનમ્ ૭-૩૩ સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુ પાત્ર વ્યક્તિને આપવી તે દાન. અનુગ્રહના બે પ્રકાર છે. સ્વ-ઉપકાર પ્રધાન અને આનુષંગિક એમ બે પ્રકારે છે. પ્રધાન એટલે મુખ્ય. કર્મ નિર્જરાથી આત્માની સંસારથી મુક્તિ એ પ્રધાન સ્વ-ઉપકાર છે. આનુષંગિક ઉપકાર એટલે મુખ્ય ઉપકારની સાથે સાથે અધ્યાયઃ ૭ • સૂત્રઃ ૩૩ ૪ ૨૫૩ સામા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy