________________
-
-
- -
જીવિત-આશંસા, મરણ-આશંસા, મિત્ર-અનુરાગ, સુખ-અનુબંધ અને નિદાન કરણ એ પાંચ સંખના વ્રતના અતિચારો છે.
(૧) જીવિત-આશંસા : આશંસા એટલે ઇચ્છા. જીવિત એટલે જીવવું. જીવવાની તે જીવિત આશંસા. પૂજા, સત્કાર-સન્માન, પ્રશંસા આદિ ન ખૂબ થવાથી હું વધારે જીવું તો સારું એમ જીવવાની ઈચ્છા રાખવી.
(૨) મરણ-આશંસા : પૂજા, સત્કાર સન્માન, કીર્તિ, વૈયાવચ્ચ આદિ ન થવાથી કંટાળીને હું જલદી મરી જઉં તો સારું એમ મરણની ઇચ્છા રાખવી.
(૩) મિત્ર-અનુરાગ : મિત્ર, પુત્ર આદિ સ્વજન – સ્નેહીઓ ઉપર મમત્વભાવ રાખવો.
(૪) સુખ અનુબંધ : પૂર્વે અનુભવેલાં સુખોને યાદ કરવાં.
(૫) નિદાન કરણ : તપ અને સંયમના પ્રભાવથી હું પરલોકમાં ચક્રવર્તી, વાસુદેવ, માલિક રાજા, બળવાન કે રૂપવાન બનું ઇત્યાદિ પરલોકના સુખની ઇચ્છા રાખવી. अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम्
૭-૩૩ અનુગ્રહાર્થ સ્વસ્યાતિસર્ગો દાનમ્
૭-૩૩ અનુગ્રહ-અર્થ સવસ્ય અતિસર્ગ દાનમ્ ૭-૩૩
સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુ પાત્ર વ્યક્તિને આપવી તે દાન. અનુગ્રહના બે પ્રકાર છે.
સ્વ-ઉપકાર પ્રધાન અને આનુષંગિક એમ બે પ્રકારે છે. પ્રધાન એટલે મુખ્ય. કર્મ નિર્જરાથી આત્માની સંસારથી મુક્તિ એ પ્રધાન સ્વ-ઉપકાર છે. આનુષંગિક ઉપકાર એટલે મુખ્ય ઉપકારની સાથે સાથે
અધ્યાયઃ ૭ • સૂત્રઃ ૩૩ ૪ ૨૫૩
સામા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org