SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Wwwwwwwwwwwwwwww wwwww શકાય. સમય બચે. આરાધના સ્વસ્થતાથી થાય. તે રીતે આ વ્રતમાં કેટલીક બાબતો વિચારણિય છે. ૧. પરવિવાહકરણઃ પોતાની સંતતિ સિવાય અન્યની સંતતિ માટે કન્યાદાનના ફળની અપેક્ષાએ કે સ્નેહસંબંધથી કંઈ પણ પ્રવૃત્તિ કરવી, તે સાંસારિક ભાવ હોવાથી આંશિક વ્રતભંગ થાય છે પોતાના સંતાનોના વિવાહકર્મ કરવાના દોષ તો લાગે છે. પણ તેમાં સંસ્કારની ફરજ હોવાથી એકાંતે દોષ માન્યો નથી છતાં જો મોટા પુત્રો તે સંભાળી લે તો તેવા કાર્યથી મુક્તિ મેળવવી. ૨. ઈતર પરગૃહીતા ગમનઃ ઈતર-બીજી, પરગૃહીતા-અન્ય વડે ભોગવાયેલી, અહીં ખાસ કરીને વેશ્યા-ગણિકાના સંબંધમાં કોઈએ જેટલા સમય માટે તેને ધન આપી સ્વીકારી હોય તે સમયે તેવી સ્ત્રીનો ભોગ ન કરવો. ૩. અપરિગૃહીતા ગમન : અસ્વીકાર કરેલી સ્ત્રી કોઈ પહેલા સ્વીકાર કરેલો નથી, એવી અનાથ સ્ત્રી, પતિ વિયોગી સ્ત્રી, કુમારિકા વગેરે પરસ્ત્રી છે, તેનું સેવન કરવું તે સ્વદારા સંતોષવ્રતની અપેક્ષાએ વ્રતભંગ છે. આ પ્રમાણે સ્ત્રીએ પુરુષ માટે સમજી લેવું. ૪. અનંગ દડા : અનંગ = કામરાગ. મૈથુન સેવન માટે યોનિ કે પ્રજનન અંગ સિવાયના હસ્તાદિ અવયવો વડે ક્રીડા-કામસેવન કરવું. અથવા અતિશય કામ ઉત્પન્ન થાય તે પ્રમાણે આલિંગન, ચુંબન આદિ સેવન કરવું. ૫. તીવ્ર કામાભિનિવેશ : તીવ્ર મોહનીય કર્મના ઉદયથી વારંવાર કામક્રીડા મૈથુન સેવન કરવું. પરમાર્થ દૃષ્ટિએ ૨ થી ૫ પ્રકારમાં બ્રહ્મચર્યના બેયનું પાલન થતું નથી, કારણ કે કામ ભોગની ઇચ્છા વૃદ્ધિ પામે છે, તેથી સાધકને બાધા પહોચે છે જેથી વ્રતભંગ થાય છે. અને આંશિક વ્રતભંગનો દોષ લાગે છે. ૨૪૪ જ તત્ત્વમીમાંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy