SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ -- અન્નપાણી સમયસર ન આપવા, દ્વેષભાવથી તેમાં અટકાવવા. ગૃહસ્થવ્રતધારીને કંઈ પણ પ્રયોજનથી કંઈ પણ બંધ આદિ કરવા પડે તો પણ કોમળભાવે કરવા, અન્યવ્રતમાં પણ આ પ્રકારે દોષને જાણવા અને સાવધાન રહેવું. " બીજા વ્રતોના અતિચારો मिथ्योपदेश-रहस्याभ्याख्यान-कूटलेखक्रिया न्यासापहार-साकारमन्त्र भेदाः ૭-૨૧ મિથ્થોપદેશ-રહસ્યાભ્યાખ્યાન-કૂટલેખક્રિયા ન્યાસાપહાર-સાકાર માત્ર ભેદાઃ ૭-૨૧ મિથ્યા-ઉપદેશ-રહસ્ય-અભ્યાખ્યાન-ટલેખક્રિયા ન્યાસાપહાર-સાકાર માત્ર ભેદાઃ ૭-૨૧ મિથ્યાઉપદેશ, રહસ્ય-અભ્યાખ્યાન, ફૂટલેખક્રિયા ન્યાસાપહાર, સાકારમંત્રભેદ એ પાંચ અતિચાર સત્ય અણુવ્રતના છે. ૧. મિથ્યા ઉપદેશ ? ગમે તેમ સમજાવી અન્યને આડે રસ્તે દોરવો. અન્યને પીડાકારી વચન, અસત્ય ઉપદેશ આપવો તે. જેમકે પુશુઓને પૂરી દો. ૨. રહસ્યાભ્યાખાન : રહસ્ય = એકાંતમાં બનેલ (ગુપ્ત) અભ્યાખ્યાન = કહેવું વિરુદ્ધ રાજ્યોની, મિત્ર મિત્ર કે અન્ય વ્યક્તિઓની ગુણ ક્રિયા કે વાત રાગ દ્વેષ કે વિનોદથી પ્રેરાઈને જાણે અજાણે ખુલ્લી કરવી તે રહસ્યાભ્યાન. તેમ કરવાથી રાજ્યોમાં યુદ્ધ અને વ્યક્તિઓમાં પણ દુઃખ ઉત્પન્ન થાય છે. અને અન્યોન્ય વૈરભાવ થઈ જાય છે. ૩. કૂટલેખ કિયા : પ્રથમ કરેલા લેખને સ્વાર્થવશ ફેરવી નાંખવા, ખોટા લેખો લખવા. ખોટી સાક્ષી પૂરવી. સહી કરવી. અસત્ય વચનની - અધ્યાયઃ ૭ • સૂત્રઃ ૨૧ ૨૪૧ : મકર ... ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy