________________ 9. સામાયિક: સામ = સમભાવ. આય = લાભ. ઈક = પ્રત્યય = સામાયિક. સર્વ સાવદ્ય પાપવ્યાપારનો અમુક કાળ સુધી ત્યાગ કરવાનો અભિગ્રહ કરવો. વર્તમાનમાં આ કાળની મર્યાદા 48 મિનિટની છે. ત્યાં સુધી મન, વચન, કાયાના યોગથી પાપપ્રવૃત્તિથી નિવૃત્તિ લેવાની છે. સામાયિક વૃત આત્મવિકાસનું ગૃહસ્થ જીવનમાં ઉત્તમ અનુષ્ઠાન છે. તેનાથી રાગ-દ્વેષ મંદ થાય છે, નિર્જરા થાય છે, અનુક્રમે જીવ મોક્ષમાર્ગની પાત્રતા પામે છે. જેટલો સમય સામાયિક થાય તેટલો સમય ગૃહસ્થની દશા સાધુ સમાન છે. 10. પૌષધોપવાસ : પૌષધ = પર્વતિથિ. ઉપવાસ = આહાર ત્યાગ. પર્વતિથિમાં ગૃહવાસનો, સાવઘ પ્રવૃત્તિનો ત્યાગ કરી, સર્વ સુખભોગનો ત્યાગ કરી, તપ સહિત પવિત્ર સ્થાનમાં દિવસ કે અહોરાત્રિ શુભધ્યાનમાં ગાળવા, જેથી સાધુ ધર્મનો સંસ્કાર થાય છે. દેહનું મમત્વ ઘટે છે. શાંતિનો અનુભવ થાય છે. આ સંસ્કાર વડે સાધુતાનો ઉદય થાય છે. 11. ભોગ-ઉપભોગ પરિમાણ : ભોગ : એક વસ્તુ એક જ વાર ભોગવાય; આહાર, ફળ, પુષ્પ ઉપભોગ : એક વસ્તુ પુનઃ પુનઃ ભોગવાય; વસ્ત્ર, પાત્ર વગેરે. અધર્મયુક્ત વ્યાપાર અને વસ્તુઓનો શક્ય તેટલો સંક્ષેપ કરવો તે ભોગ-ઉપભોગ પરિમાણ વ્રત છે, જે પામવાથી જીવન સાત્ત્વિક બને છે. પરિમાણ = મર્યાદા 12. અતિથિ સંવિભાગઃ જેમણે તિથી આદિ લૌકિક વ્યવહારનો ત્યાગ કર્યો છે. જે સહજ રીતે જીવનનિર્વાહ કરે છે તે અતિથિ છે. મુખ્યત્વે સાધુજનો છે. તેમને સંયમની વૃદ્ધિ માટે જરૂરી વસ્તુઓ આહાર આદિ પૂરાં પાડવાં. ન્યાયસંપન્ન વસ્તુનું દાન કરવું તે ઉત્તમ છે. આદર, શ્રદ્ધા અને સન્માનપૂર્વક આતિથ્ય કરવું. શ્રેષ્ઠ વસ્તુઓ આપવાની ભાવના કરવી. જેના પરિણામે આતિથ્ય કરનારને ઉત્તમ લાભ મળે છે. * * * 236 જ તત્ત્વમીમાંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org