________________ પ્રમાદથી અન્યની નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે સ્નેય-ચોરી છે. અદત્ત એટલે નહિ આપેલ. આદાન એટલે ગ્રહણ કરવું. માલિકે નહિ આપેલી વસ્તુ લેવી તે અદત્તાદાન. અદત્તાદાન એ ચોરી છે. અદત્તાદાનના સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત અને ગુરુ અદત્ત એમ ચાર ભેદ છે. સાધક જો સ્વામી આદિ ચારેની રજા વિના કોઈપણ વસ્તુ ગ્રહણ કરે તો ત્રીજા મહાવ્રતમાં અલના થાય. (1) સ્વામી અદત્ત H જે વસ્તુનો જે માલિક હોય તે વસ્તુનો તે સ્વામી છે. વસ્તુના માલિકની રજા વિના વસ્તુ લે તો સ્વામી અદત્ત દોષ લાગે. આથી મહાવ્રતના સાધકે તૃણ જેવી પણ વસ્તુ ગ્રહણ કરતાં પહેલાં તેના માલિકની રજા લેવી જોઈએ. (2) જીવ અદત્તઃ માલિકે રજા આપી હોય તો પણ જો તે વસ્તુ સચિત્ત (જીવયુક્ત) હોય તો ગ્રહણ ન કરી શકાય. તે વસ્તુનો માલિક તેમાં રહેલ જીવ છે. તે વસ્તુ તેમાં રહેલા જીવની કાયા છે. કોઈ પણ જીવને કાયાની પીડા ગમતી નથી. સચિત્ત વસ્તુ ગ્રહણ કરવાથી પીડા, કાયાનો નાશ આદિ થાય છે. આથી તેણે (-વસ્તુમાં રહેલા જીવે) એ વસ્તુ ભોગવવાનો અધિકાર (રજા) કોઈને પણ આપ્યો નથી. માટે મહાવ્રતના સાધકે માલિકે રજા આપી હોવા છતાં સચિત્ત વસ્તુનું ગ્રહણ નહિ કરવું જોઈએ. અન્યથા જીવ અદત્ત દોષ લાગે. (3) તીર્થકર અદત્ત : વસ્તુ સચિત્ત હોય અને માલિકે રજા આપી હોય તો પણ સાધકે વિચારવું જોઈએ કે આ વસ્તુ લેવા તીર્થંકરાશાસ્ત્ર)ની આશા છે કે નહિ? તીર્થંકરની આજ્ઞા ન હોય અને લે તો તીર્થંકર અદત્ત દોષ લાગે. જેમ કે સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણીનું ગ્રહણ. દાતા ભક્તિથી સાધુને આહાર-પાણી આપતો હોય, તે આહાર-પાણી અચિત્ત હોય, છતાં જો તે સાધુ માટે તૈયાર કરેલાં હોય તો સાધુથી નિષ્કારણ) ન લેવાય. જો લે તો તીર્થંકર અદત્ત દોષ લાગે. કારણ કે 228 જ તત્ત્વમીમાંસા WANAAMAMMANHANAMAR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org