________________ wwwwwwwwwwwwwwwWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWwwwwww WANAUMWANAHARRENADARAMMAMMAMMAMAMAMANSALLALLA પ્રવૃત્તિથી નિવૃત્ત થતાં રાગદ્વેષ થવાનું નિમિત્ત દૂર થાય છે. તેથી જીવ રાગદ્વેષથી પણ ક્રમે કરીને મુક્ત થાય છે. વ્રતના ભેદ देशसर्वतोऽणुमहती દેશસર્વતોડણમહતી 7-2 દેશસર્વતઃ અણુમહતી 7-2 હિંસાદિ પાપીથી દેશથી નિવૃત્તિ થવું તે અણુવ્રત છે. અને સર્વથા મુક્ત થવું તે મહાવ્રત છે. દેશ = અલ્પ, આંશિક, સ્કૂલ વ્રતનો આકાંક્ષી દોષોથી નિવૃત્ત થવા પુરુષાર્થ કરે પણ દરેકનો ત્યાગ સરખો ન હોય. તેથી હિંસાદિ દોષોથી અત્યંત નિવૃત્તિ તે મહાવ્રત છે. (સાધુજનો માટે) અને આંશિક નિવૃત્તિ તે અણુવ્રત છે (શ્રાવક માટે) પાંચ મહાવ્રતો : 1. પ્રાણાતિપાત (હિંસા) વિરમણ વ્રત : સર્વ પ્રકારની હિંસાથી મન-વચન-કાયાથી નિવૃત્ત થવું. 2. મૃષાવાદ વિરમણ વ્રત (અસત્ય વચન) : સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ. 3. અદત્તાદાન વિરમણ વ્રત (ચોરી) : સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ. 4. મૈથુન વિરમણ વ્રત H સર્વ પ્રકારના વિષયોનો ત્યાગ. 5. પરિગ્રહ વિરમણ વ્રત H સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. પાંચ અણુવ્રતો : 1. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત H ત્રણ સ્થાવર બે પ્રકારના જીવો છે. ગૃહસ્થ જીવનમાં સ્થાવર જીવોની સંપૂર્ણપણે અહિંસા પાળવી શક્ય નથી, તેથી નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પપૂર્વકની હિંસાનો ત્યાગ, અને અન્ય કાર્યોમાં ત્રસ જીવો પણ હણાઈ જાય તો તેમાં આરંભજન્ય 214 જ તત્ત્વમીમાંસા અનાનસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org