SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અદલાય જાતો 7-1 7-1 ------------------------------ हिंसाऽनृत-स्याउमा-परिग्रहेन्यो विरसितम् હિંસાવૃત-જોયાડા-પરિગ્રહેભ્યઃ વિરતિર્વતમ હિંસા-અમૃત-સ્તેય-અબાલ-પરિગ્રહોભ્ય વિરતિ વ્રતમ્ 7-1 હિંસા, અમૃત, સ્તેય, અબ્રા, અને પરિગ્રહ એ પાંચ પાપોનું સ્વરૂપ જાણીને શ્રદ્ધાપૂર્વક મન-વચન-કાયાથી એ પાપોનું સેવન ન કરવું તે વ્રત છે. હિંસા = વધ, અમૃત = અસત્ય, તેય = ચોરી, અબ્રહ્મ = મૈથુન (કામવાસના), પરિગ્રહ = ધનાદિની મૂછ. સાંસારિક પ્રકૃતિ પ્રાયે દોષજનક હોય છે, તેમાં જીવને અઢાર પાપોનો દોષ લાગે છે. અહીં મુખ્ય પાંચ પાપોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ પાંચેય પાપોથી અટકવા માટે પાંચ વ્રતમાં મુખ્ય હિંસા વિરમણ (અટકવું) છે, માટે અહિંસા વ્રત મુખ્ય છે, અને તેની રક્ષા માટે બીજા ચાર વ્રતનું નિરૂપણ કર્યું છે. અહિંસા વ્રતને પાળનાર અસત્ય આદિ પાપોથી દૂર રહે છે. માટે અહિંસા વ્રતને અહીં પ્રધાનતા આપી છે. હિંસા વિરમણ વ્રત કહેવાય છે અર્થાત્ હિંસાથી નિવૃત્ત થવું. પાપની નિવૃત્તિ પણ પ્રવૃત્તિપ્રધાન છે. વ્રતમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ બંને હોય તો વ્રત પૂર્ણતા પામે છે. સત્કાર્યમાં અર્થાત્ અહિંસાદિમાં પ્રવૃત્ત થવાથી અસતકાર્ય કે હિંસાદિથી નિવૃત્ત થવાય છે. દોષના નિવૃત્તિ વ્રતમાં ગુણની પ્રવૃત્તિ સમાય છે. અસક્રિયાનો ત્યાગ થતાં સક્રિયા આપોઆપ થઈ જાય છે. એટલે વ્રત કેવળ નિષ્ક્રિયતા નથી. સંસારના પરિભ્રમણનું કારણ રાગદ્વેષ છે. તેનાથી નિવૃત્ત થવું તેની મુખ્યતા હોવા છતાં તે માનસિક પરિણામ છે. વળી પ્રારંભમાં જીવો એવી સૂક્ષ્મ વાતને ગ્રહણ ન કરી શકે. તેથી પ્રથમ જેના નિમિત્તે રાગદ્વેષ થાય છે તેવાં બાહ્ય કારણો દર્શાવ્યાં છે. એટલે બાહ્ય હિંસા જેવી અસતુ અધ્યાય : 7 * સૂત્રઃ 1 4 213 wwwwwwww we me Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy