SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. પરાધીનપણે અગર અન્યના કહેવાથી અસદ્ પ્રવૃત્તિ કે વૃત્તિના ત્યાગથી થતી નિર્જરા અકામ નિર્જરા છે. ૪. વિવેક રહિત કરેલાં તપ તે બાલતપ છે, જેમાં લૌકિકભાવની કે સુખની અપેક્ષા હોય છે તે બાલતપ છે. દેવગતિના આસવમાં મુખ્યત્વે શુભ પરિણમન હોય છે. એટલે સમ્યદૃષ્ટિ આત્મા પણ દેવાયુ બાંધે છે. અશુભ નામકર્મના આસવો योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નામ્નઃ યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નામ્નઃ ૬-૨૧ ૬-૨૧ ૬-૨૧ મન, વચન અને કાયા એ ત્રણ યોગોની વક્રતા-કુટિલતા સહિત પ્રવૃત્તિ તથા વિસંવાદન (વિપરીત પ્રવૃત્તિ) અશુભનામકર્મબંધના હેતુ છે. ૧. યોગવક્રતા : એટલે મનથી ચિંતવવું કંઈ, બોલવું કંઈ, અને કરવું વળી એનાથી જુદું. ૨. વિસંવાદન : પૂર્વ કરેલા કે કહેલા કાર્યથી વિપરીત પ્રવૃત્તિ કરાવવી, કોઈને આડે માર્ગે ચઢાવવો, સ્નેહીઓ વચ્ચે અંતર પડાવવું. યોગવક્રતામાં સ્વને આશ્રયીને પ્રવૃત્તિ કે પરિણામ થાય છે, વિસંવાદનમાં અન્યના વિષયમાં પોતે નિમિત્ત થાય છે. જેમકે પોતાની વિરુદ્ધ પ્રવૃત્તિ તે વચનયોગ વક્રતા અને વચનયોગ વક્રતાને કારણે અન્યની વિરુદ્ધ પ્રવૃત્તિ કે બોલવાનું થાય તે વિસંવાદન. ભયનેકારણે ખોટું બોલે તે વચનયોગ વક્રતા છે અને અન્યને લડાવવા ખોટું બોલે તો તે વિસંવાદન છે. આ ઉપરાંત મિથ્યાદર્શન, પરનિંદા, ચંચળતા, અનીતિ, આત્મપ્રશંસા, પરદ્રવ્યહરણ, આરંભ, પરિગ્રહ, અસત્ય કે કઠણ વચન અધ્યાય ઃ ૬ • સૂત્ર : ૨૧ ૪ ૨૦૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy