SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારના નિક્ષેપમાં મૂળહેતુ સૂક્ષ્મ કે સ્થૂલ કોઈ પણ જીવની વિરાધના ન થાય. ૩. સંયોગ = ભેગું કરવું ઃ તેના બે પ્રકાર છે. ૧. આહારપાણી, ૨. ઉપકરણ. ૧. આહારપાણી : અન્ન-જળનું ભેગું કરવું, અથવા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા રોટલી સાથે ગોળ, દાળ, અથાણાં આદિ વસ્તુ ભેળવવી, દૂધમાં સાકર ભેળવવી વગેરે. ૨. ઉપકરણ સંયોગ ઃ વસ્ત્રો કે પાત્રોનું અથવા તેવી અન્ય વસ્તુને ભેગી કરવી. તે સંયોગાધિકરણ છે. ૪. નિસર્ગ = ત્યાગ. તેના ત્રણ ભેદ છે. ૧. મનનિસર્ગ, ૨. વચનનિસર્ગ, ૩. કાયનિસર્ગ (૧) મનોનિસર્ગ : શાસ્ત્ર વિરુદ્ધ વિચારવું. અર્થાત્ મનરૂપે પરિણમેલા પુદ્ગલોનો આ રીતે (વિચારીને) ત્યાગ, એ વિચાર છે. (૨) વચનનિસર્ગ : શાસ્ત્ર વિરુદ્ધ બોલવું, તેમાં ભાષારૂપે પરિણમેલા પુદ્ગલોને છોડવા, તે બોલવું. (૩) કાયનિસર્ગ : શસ્ત્ર, અગ્નિપ્રવેશ કે જળપ્રવેશ દ્વારા કાયાનો ત્યાગ કરવો. ઉપરનું વર્ણન સામાન્યપણે થતાં આસ્રવનું છે. तत्प्रदोष-निह्नव मात्सर्यान्तरायासादनोपघाता ज्ञान- दर्शनावरणयोः તત્પદોષ-નિહવ-માત્સર્યાન્તરાયાસાદનોપઘાતા જ્ઞાન-દર્શનાવરણયોઃ તત્-પ્રદષ-નિહવ-માત્સર્ય-અન્તરાય-આસાદન ઉપઘાતા-જ્ઞાન-દર્શનાવરણયોઃ Jain Education International અધ્યાય : ૬ કર્મના આઠ પ્રકારમાંથી પ્રત્યેક કર્મના કષાયસહિત સૂત્રઃ ૧૧ ૪ ૧૯૩ • ૬-૧૧ For Private & Personal Use Only ૬-૧૧ ૬-૧૧ www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy