SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિય અને હિતકર વાણી, દેવગુરુની સ્તુતિ, ગુણપ્રમોદ વગે૨ે શુભ વચનયોગ છે. અનિત્યાદિ શુભભાવનાઓ, અન્યનું હિત-ચિંતન શુભ મનોયોગ છે. આ શુભયોગથી કેવળ પુણ્યનો આસ્રવ થાય છે. શુભ યોગ વખતે આ જ્ઞાનાવરણીયાદિ અશુભકર્મોનો આસ્રવ થાય છે. છતાં જીવ અલ્પ કષાયી રસવાળો હોવાથી તેનું ફળ નહિવત્ છે. તેથી પુણ્યનો નિષેધ કરવો યોગ્ય નથી. શુભયોગ વખતે થાતીકર્મોનો બંધ અને પુણ્યનું કાર્ય થાય છે. તેમાં ઘાતી કર્મોમાં રસ અતિ મંદ, પુણ્યમાં તીવ્ર રસ હોય છે. વાસ્તવમાં શુભયોગથી પુણ્ય જ થાય, અને સંવર નિર્જરારૂપ શુભ આત્મ પરિણામથી નિર્જરા થાય છે. ઘાતીકર્મ એવા ને એવા રહે અને પુણ્યપ્રકૃતિની તીવ્રતા થાય તેવી પુણ્યપ્રકૃતિનો નિષેધ કરવાનું કહ્યું છે. अशुभः पापस्य અશુભઃ પાપસ્ય અશુભઃ પાપસ્ય અશુભયોગ પાપનો આસવ છે. હિંસા, ચોરી આદિ અસંયમ કાયિક વ્યાપાર અશુભ કાયયોગ છે; અસત્ય વચન, કઠોર કે અહિતકર વચન, નિંદા આદિ અશુભ વચનયોગ છે; રાગ-દ્વેષનાં પરિણામ, હિંસાદિના વિચારો અશુભ મનોયોગ છે. -૪ ૬-૪ ૬-૪ અશુભયોગની તીવ્રતાના સમયે પાપપ્રકૃતિઓનો અનુબંધ અધિક, પુણ્યપ્રકૃતિઓનો અનુબંધ અલ્પ હોય છે. આસવના બે ભેદ Jain Education International सकषायाकषाययोः साम्परायिकेर्यापथयोः સકષાયાકષાયયોઃ સામ્પરાયિકેર્યાપથયો: સકષાય-અકષાયયોઃ સામ્પરાયિક-ઇર્યાપથયોઃ ૧૮૪ ૪ તત્ત્વમીમાંસા For Private & Personal Use Only -૫ -૫ -૫ www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy