SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ . . . . . . . અધ્યાય છટ્ટો માન્ય ગ્રંથકારે પાંચ અધ્યાય સુધી જીવ અને અજીવ બે તત્ત્વોનું નિરૂપણ કર્યું. હવે આશ્રવનું નિરૂપણ કરે છે. આશ્રવમાં યોગની મુખ્યતા હોવાથી પ્રથમ યોગનું નિરૂપણ કરે છે. યોગનું સ્વરૂપ થ-વા-મનઃર્મ યોઃ -૧ કાય-વાર્મનકર્મ યોગઃ -૧ કાય-વાગુ-મન-કર્મ યોગઃ - ૧ કાયા, વચન અને મનની ક્રિયા યોગ છે. આ સૂત્રમાં યોગ વિશિષ્ટ પદ્ધતિથી જણાવ્યો છે. યોગ એટલે જીવના વિઆંતરાયકર્મના ક્ષમાપશયાદિથી (વટવાથી) તથા પુદગલોના આલંબનથી આત્મપ્રદેશોમાં થતા કંપન વ્યાપારથી પ્રવર્તમાન થતી આત્મશક્તિ. આ આત્મશક્તિનો ઉપયોગ કરવા પુદ્ગલના આલંબનની જરૂર પડે છે. દરેક સંસારી જીવમાં રહેલી શક્તિનો ઉપયોગ મન, વચન અને કાયાના આલંબનથી થાય છે. કાયયોગ : ઔદારિકાદિ શરીરવર્ગણાના પુગલોના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ તે કાયયોગ છે. વચનયોગ : મતિજ્ઞાનાવરણ, અક્ષરશ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી આંતરિક વાલબ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે વચનવર્ગણાના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ તે વચનયોગ. મનોયોગ ઃ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી આંતરિક મનોલબ્ધિ ઉત્પન્ન થતાં મનોવર્ગણાના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ તે મનોયોગ. કાય, વચન અને મનના આલંબનથી આત્મશક્તિમાં થતો કંપનનો વ્યાપાર તે અનુક્રમે કાયાદિ યોગ છે. ૧૮૨ જ તત્ત્વમીમાંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy