SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના રાજા wામનારાયણ મહારાજના કરનાર www જણાવવાપણું. વગેરે. દરેક દ્રવ્ય પોતાના ભાવ-લક્ષણ પ્રમાણે સમયે સમયે પરિણમન કરે છે. છતાં પોતારૂપે કાયમ ટકી રહે છે. જીવ ગતિ પ્રમાણે શરીર બદલે પણ જીવરૂપે કાયમ રહે છે. જગતમાં દ્રવ્યોનું આવું પરિવર્તન જાણી જીવે જીવપ્રદેશની ધ્રુવતાનું માહામ્ય સ્વીકારી ત્યાં લક્ષ્ય કરવાનું છે. એક આંગળી ઉંચી કરવામાં આ છ દ્રવ્યોનું પરિણમન સ્વયં થાય છે. જીવ : આંગળી ઊંચી કરવાનો વિકલ્પ જીવમાં થાય છે. ધર્મ ઃ આંગળી ઊંચી થવામાં નિમિત્ત ધર્માસ્તિકાય છે. અધર્મ : આંગળી સ્થિર થવામાં નિમિત્ત અધર્માસ્તિકાય છે. આકાશ : આંગળી જ્યાં રહી છે ત્યાં આકાશ છે. કાળ : આંગળી ઊંચી કરવામાં સમય ગયો તે કાળ છે. પુગલ : આંગળીના પ્રદેશો સ્વયં પુદ્ગલરૂપ છે. જીવની અપેક્ષાએ છ દ્રવ્યોનું પરસ્પર ઉપગ્રહ-નિમિત્ત છે. જીવ : જીવ સ્વયં સ્વગુણવાળું દ્રવ્ય છે. પુગલ : સંસારી જીવ શરીરના સંયોગવાળો છે. તે શરીર પુદ્ગલ દ્રવ્ય છે. આકાશ ઃ શરીરધારી મનુષ્યાદિ આકાશ પ્રદેશને રોકીને રહ્યા છે. ઘર્મ : મનુષ્યાદિ એક જગાએથી સ્થળાંતર-ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય સહાયક છે. અધર્મ મનુષ્યાદિ સ્થિર રહે છે ત્યારે અધર્માસ્તિકાય સહાયક છે. કાળ ? અને એ ગતિમાં જે સમય જાય છે તે કાળ દ્રવ્ય છે. આમ સૃષ્ટિ વ્યાપ્ત આ દરેક પદાર્થ માત્રના પરિણમનમાં છ દ્રવ્યો પોતાના ભાવથી પરિણમે છે તે જગતની વ્યવસ્થા છે. કર્મો સાથે છ દ્રવ્યોનો પરસ્પર નિમિત્ત સંબંધ : કર્મો સ્વયં પુદ્ગલજનિત છે. તેથી તે પુદ્ગલ છે. જીવની વૈભાવિક અવસ્થાના કારણે તે જીવ સાથે રહે છે, તેથી તેને ધારણ કરનાર જીવ છે. ૧૮૦ જ તત્ત્વમીમાંસા - રાજ રાજ ક રન જ ન - આ જ - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy