SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામનું લક્ષણ तद्भावः परिणामः ૫-૪૧ તદ્ભાવ પરિણામઃ ૫-૪૧ તદ્-ભાવઃ પરિણામઃ ૫-૪૧ (દ્રવ્યો અને ગુણોનો) તેનો ભાવ એ પરિણામ છે. પોતાના સ્વરૂપમાં રહીને ઉત્પન્ન થવું અને નાશ થવો તે ગુણનો પરિણામ ભાવ-વિકાર છે. દ્રવ્ય કે ગુણ અન્ય અવસ્થાઓને પ્રાપ્ત કરે છે છતાં સ્વભાવનો ત્યાગ થતો નથી. પ્રતિસમય નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પરિવર્તન પામ્યા કરે છે. એક જ જીવ કર્મવશ મનુષ્યપણે, પશુપણે કે દેવપણે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પામે, પણ તેનું જીવત્વ કાયમ રહે છે. - જીવનું જ્ઞાન સાકારપણે કે નિરાકારપણે હોય તો તેમાં જ્ઞાનઉપયોગ કાયમ રહે છે. પુદ્ગલમાં કાળાશ છોડી પીળાશ આદિ અનેક પરિણામો ધારણ થાય તો પણ તે વર્ણત્વ કે રૂપત્વને છોડતું નથી. આ પ્રમાણે દરેક દ્રવ્ય અને ગુણ વિષે સમજી લેવું. પરિણામના બે ભેદ अनादिरादिमांच અનાદિરાદિમાંશ્ર ૫-૪૨ ૫-૪૨ ૫-૪૨ અનાદિઃ આદિમાન્ ચ પરિણામ-(ભાવ) અનાદિ અને આદિમાન (નવો બનતો) બે પ્રકારે છે. Jain Education International અનાદિ : જેની આદિ-શરૂઆત થતી નથી તે અનાદિ આદિ : જેની આદિ-શરૂઆત થાય તેમ કહેવામાં આવે તે, અધ્યાય ઃ ૫ • સૂત્ર : ૪૧-૪૨ ૪ ૧૭૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy