________________
પરિણામનું લક્ષણ तद्भावः परिणामः
૫-૪૧
તદ્ભાવ પરિણામઃ
૫-૪૧
તદ્-ભાવઃ પરિણામઃ
૫-૪૧
(દ્રવ્યો અને ગુણોનો) તેનો ભાવ એ પરિણામ છે. પોતાના સ્વરૂપમાં રહીને ઉત્પન્ન થવું અને નાશ થવો તે ગુણનો પરિણામ ભાવ-વિકાર છે.
દ્રવ્ય કે ગુણ અન્ય અવસ્થાઓને પ્રાપ્ત કરે છે છતાં સ્વભાવનો ત્યાગ થતો નથી. પ્રતિસમય નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પરિવર્તન પામ્યા કરે છે.
એક જ જીવ કર્મવશ મનુષ્યપણે, પશુપણે કે દેવપણે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પામે, પણ તેનું જીવત્વ કાયમ રહે છે. -
જીવનું જ્ઞાન સાકારપણે કે નિરાકારપણે હોય તો તેમાં જ્ઞાનઉપયોગ કાયમ રહે છે.
પુદ્ગલમાં કાળાશ છોડી પીળાશ આદિ અનેક પરિણામો ધારણ થાય તો પણ તે વર્ણત્વ કે રૂપત્વને છોડતું નથી. આ પ્રમાણે દરેક દ્રવ્ય અને ગુણ વિષે સમજી લેવું.
પરિણામના બે ભેદ
अनादिरादिमांच
અનાદિરાદિમાંશ્ર
૫-૪૨
૫-૪૨
૫-૪૨
અનાદિઃ આદિમાન્ ચ પરિણામ-(ભાવ) અનાદિ અને આદિમાન (નવો બનતો) બે પ્રકારે છે.
Jain Education International
અનાદિ : જેની આદિ-શરૂઆત થતી નથી તે અનાદિ આદિ : જેની આદિ-શરૂઆત થાય તેમ કહેવામાં આવે તે,
અધ્યાય ઃ ૫ • સૂત્ર : ૪૧-૪૨ ૪ ૧૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org