________________
જેમકે આત્માના જ્ઞાન-દર્શન ઉપયોગ સમયે સમયે પરિવર્તન પામે છે. બંને સાથે હોતા નથી. ક્રમભાવી છે, એટલે ઉત્પાદ વિનાશશીલ છે તેથી તે આત્માના પર્યાયો છે. એ પ્રમાણે પુદ્ગલના શ્વેત, કૃષ્ણ વર્ણ કે રસ, સ્પર્શ, ગંધ માટે સમજવું. વર્ણ એ ગુણ છે પરંતુ શ્વેતપણું વ્યય થઈ કૃષ્ણપણું થાય છે, તેથી તે પર્યાયો છે. કારણ કે તે ઉત્પાદ અને વિનાશશીલ છે. તેમ રસ વગેરે માટે સમજવું.
દરેક દ્રવ્યમાં અનંતા ગુણો અને અનંતા પર્યાયો છે. દ્રવ્ય અને ગુણ નવા ઉત્પન્ન થતાં નથી તેથી અનાદિ-અનંત છે. (નિત્ય છે.) પર્યાયો પ્રતિસમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે આથી અનિત્ય છે. (સાદિ સાંત છે..) જોકે પર્યાયો પ્રવાહથી નિરંતર છે, તે અપેક્ષાએ તે અનાદિ અનંત છે. તેથી દ્રવ્ય ક્યારે પણ ગુણપર્યાય રહિત હોતું નથી. ગુણ વ્યક્તિની અપેક્ષાએ સદા રહે છે. પર્યાયો પ્રવાહની અપેક્ષાએ સદા રહે છે.
દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની શક્તિ તે ગુણ કહેવાય છે. ગુણ જન્ય પરિણમન તે પર્યાય કહેવાય છે. ગુણ કારણ છે. પર્યાય કાર્ય છે. કારણ કે કાર્ય પર્યાયમાં થાય છે.
દ્રવ્ય અનંત ગુણોનો અખંડ સમુદાય છે. પરંતુ સાધારણ બુદ્ધિવાળા જીવોને સમજમાં આવે તેવા વિકલ્પો જણાવ્યા છે. આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય, ઉપયોગ વગેરે ગુણો વિચાર-વાણીમાં આવી શકે છે અને પુદ્ગલના રૂપ આદિ વિકલ્પો આવી શકે છે. બાકીના બધા વળી ગમ્ય છે.
દ્રવ્યોના બધા ગુણો સમાન હોતા નથી. તેના ભેદ હોય છે. જે ગુણો બધા દ્રવ્યોમાં હોય તે સાધારણ કહેવાય છે અને જે ગુણ દ્રવ્યોમાં વિશેષપણે હોય તે અસાધારણ છે. અસ્તિત્વ, પ્રદેશત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, તે સાધારણ ગુણો છે. જે દરેક દ્રવ્યોમાં હોય છે.
આત્મામાં ચૈતન્ય, પુદ્ગલમાં સ્પર્શાદિ ગુણ અસાધારણ છે, કારણ કે તે તે ગુણ અન્ય દ્રવ્યમાં હોતો નથી. તે પ્રમાણે ધર્માસ્તિકાય
Jain Education International
અધ્યાય : ૫
•
સૂત્ર : ૩૭ ૪ ૧૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org