SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ * અસ્વચ્છ દ્રવ્યો ઉપર શરીર આદિના પગલોનો માત્ર આકૃતિ પ્રમાણે થતો પરિણામ કે જે તડકામાં દેખાય છે, તે આકૃતિરૂપ છાયા છે. તડ્વર્ણ પરિણામ અને આકૃતિ એ બંને છાયા રૂપ હોવા છતાં વ્યવહારમાં આપણે તડ્વર્ણ પરિણામ રૂપ છાયાને પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. આકૃતિરૂપ છાયાને છાયા તરીકે ઓળખીએ છીએ. પ્રતિબિંબમાં આકૃતિ અને વર્ણ એ બંને સ્પષ્ટ હોય છે, જ્યારે છાયામાં અસ્પષ્ટ હોય છે. ૯. આતપ : સૂર્યના પ્રકાશને આતપ કહેવામાં આવે છે. સૂર્ય જ્યોતિષ્ક જાતિના દેવોનું વિમાન છે. તેમાં દેવો રહે છે. આ વિમાન અતિ મૂલ્યવાન રત્નોનું બનેલું છે. આથી તેમાંથી પ્રકાશ ફેલાય છે. આ પ્રકાશ આતપ તરીકે ઓળખાય છે. આતપ અગ્નિની જમ ઉષ્ણ હોવાથી પુદ્ગલ છે. આતપ ઉષ્ણ અને શ્વેતરંગે પરિણમેલા પુદ્ગલોનો જથ્થો છે. - સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર ઉષ્ણ હોય છે. પણ સૂર્યવિમાનનો સ્પર્શ શીત હોય છે. અગ્નિ આદિના અને સૂર્યના પ્રકાશમાં આ જ તફાવત છે. અગ્નિ આદિનો સ્પર્શ ઉષ્ણ હોય છે અને પ્રકાશ પણ ઉષ્ણ હોય છે. જ્યારે સૂર્યમાં તેમ નથી. સૂર્યનો પ્રકાશ જ ઉષ્ણ હોય છે. સ્પર્શ તો શીત હોય છે. સૂર્યના પ્રકાશની ઉષ્ણતા પણ જેમ જેમ દૂર તેમ તેમ વધારે હોય છે. આથી દેવોને તેમાં રહેવામાં કશો જ બાધ આવતો નથી. ૧૦. ઉદ્યોતઃ ચંદ્ર, ચંદ્રકાન્ત મણિ, કેટલાંક રત્નો, તથા ઔષધિઓ વગેરેના પ્રકાશને ઉદ્યોત કહેવામાં આવે છે. ઉદ્યોત અને આતપ એ બંને પ્રકાશ સ્વરૂપ છે. શીત વસ્તુના ઉષ્ણ પ્રકાશને આતપ અને અનુષ્ણ પ્રકાશને ઉદ્યોત કહેવામાં આવે છે. ૨૩મા સૂત્રમાં કહેલા સ્પર્શ આદિ પર્યાયો અણુ અને અંધ બંનેમાં હોય છે. જ્યારે ૨૪મા સૂત્રમાં કહેલા શબ્દ આદિ પર્યાયો માત્ર સ્કંધમાં * વર્ણ ન દેખાય, માત્ર આકૃતિ દેખાય તેવો. બનાવવવવવાહવાહી અધ્યાય : ૫ • સૂત્ર : ૨૪ જ ૧૬૧ કાકા કામના કકડાવાળા વાહન ન કરવાના Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy