________________
એક એક આકાશ પ્રદેશમાં તેજના હજારો પુદ્ગલો સ્થાન લઈ શકે છે. ફેલાયેલા રૂને નાની ડબ્બીમાં ભરી શકાય છે તેમ અસંખ્યાત પ્રદેશી આકાશમાં અવગાહન શક્તિ એવી છે, કે તે અનંત પદાર્થોને સમાવી શકે છે.
જેમ સમકાળે અનેક જીવનું અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન હોય છે, તેમ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ એક જ જીવનું અવગાહન ક્ષેત્ર પણ ભિન્ન ભિન્ન હોય છે.
જીવોનાં કર્મો એક સરખા નથી તેથી ઔદારિક આદિ જે શરીર પ્રાપ્ત થાય તે કર્મ અનુસારે નાનાંમોટાં હોય છે. તેથી અનેક જીવોનું અવગાહ (જગા રોકવાનું) ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન હોય છે. તે પ્રમાણે પ્રથમ આરામાં શરીરનું પ્રમાણ મોટું, અને તે દરેક આરા પ્રમાણે બદલાતું રહે છે.
પુદ્ગલના નિમિત્તથી સંકોચ-વિસ્તારને પામેલો જીવનો સ્વભાવ તે શરીરપ્રમાણ હોય છે. હાથીના ભવને પામેલો જીવ હાથીપ્રમાણ શરીરવાળો હોય છે અને એ જ જીવ કીંડીનો ભવ પામે તો કીડીપ્રમાણ શરીર હોય છે. એ જ પ્રમાણે જ્યાં જ્યાં જે દેહ પામે તે પ્રમાણ બદલાતા રહે છે. જીવતત્ત્વનો સ્વભાવ એવો છે.
गति - स्थित्युपग्रहौ धर्माधर्मयोरुपकारः ગતિ-સ્થિત્યુપગ્રહો ધર્માધર્મયોરુપકારઃ ગતિ-સ્થિતિ-ઉપગ્રહો ધર્મ-અધર્મયોઃ ઉપકારઃ
૫-૧૭
૫-૧૭
૫-૧૭
ધર્માસ્તિકાયનો અને અધર્માસ્તિકાયનો અનુક્રમે ગતિ
સ્થિતિ ઉપગ્રહ ઉપકાર કાર્ય છે.
નિમિત્ત; ઉપકાર
કાર્ય
ઉપગ્રહ જીવ અને પુદ્ગલનો ગતિ તથા સ્થિતિ કરવાનો સ્વભાવ (ઉપાદાન) છે. તેમાં સહાયતા કરવી અર્થાત્ નિમિત્ત થવું તે અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું કાર્ય છે. નિમિત્ત ઉપાદાનથી ભિન્ન હોવાથી તે
૧૪૮ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
=
=
For Private & Personal Use Only
www.jainelibrary.org