SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ MARANASANGAN બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિય જીવોને નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચ એમ ચાર ભેદ છે. નારક દેવ અને મનુષ્ય સિવાયના સઘળા પંદ્રિય જીવો અને એકેંદ્રિયથી ચઉરિંદ્રિય સુધીના જીવો તિર્યંચ કહેવાય છે. સ્થિતિનો અધિકાર સ્થિતિઃ ૪-૨૯ સ્થિતિઃ ૪-૨૯ સ્થિતિઃ ૪-૨૯ અહીંથી સ્થિતિ આયુષ્યનો કાળ] શરૂ થાય છે. આ અધિકાર સૂત્ર છે. અહીંથી સ્થિતિના=આયુષ્યકાળના વર્ણનનો અધિકાર શરૂ થાય છે એ સૂચવવા આ સૂત્રની રચના કરી છે. ભવનપતિ નિકાયમાં દક્ષિણાર્ધના ઈદ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ : भवनेषु दक्षिणर्धाधिपतीनां पल्योपममध्यर्धम्। ૪-૩૦ ભવનેષુ દક્ષિણાર્ધાધિપતીના પલ્યોપમમધ્યર્ધમ્ ૪-૩૦ ભવનેષુ દક્ષિણ-અર્ધ-અધિપતીનાં પલ્યોપમ અધિ, અર્ધમ્ ૪-૩૦ ભવનોમાં દક્ષિણાધર્મ અધિપતિની (ઈદ્રની) દોઢ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ભવનપતિ દેવોના દશ ભેદો છે. તે દરેકના બે વિભાગ પડે છે : (૧) દક્ષિણ દિશા તરફનાં ભવનોમાં રહેનાર. (૨) ઉત્તર દિશા તરફનાં ભવનોમાં રહેનાર. આ બંનેના ઈદ્રો અલગ અલગ છે. આથી દક્ષિણ તરફ રહેનારા અસુરકુમાર આદિ દશ પ્રકારના દેવોના દશ ઈદ્રો અને ઉત્તર તરફ રહેનાર અસુરકુમાર આદિ દશ પ્રકારના દશ ઇદ્રો એમ ભવનપતિનિકાયમાં કુલ ૨૦ ઈદ્રો છે. દક્ષિણ દિશા તરફના ઈદ્રો દક્ષિણાર્ધાધિપતિ અને ઉત્તર દિશા તરફના ઈદ્રો ઉત્તરાર્ધાધિપતિ છે. ૧૩૦ જ તત્ત્વમીમાંસા MMA MASAMAN - ---- ------ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy