________________
---------
--
આગળ જતા નથી. ઉપર ઉપરના દેવોમાં મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક અધિક હોવાથી તેઓ અધિક ગતિ કરતા નથી. નવરૈવેયક અને પાંચ અનુત્તરના દેવો તો કદી પણ પોતાના વિમાનથી બહાર જતા જ નથી.
(૨) શરીરનું પ્રમાણ પણ ઉપર ઉપરના દેવોને ઓછું ઓછું હોય છે. સૌધર્મ-ઈશાનમાં સાત હાથ ઊંચું, સનકુમાર મહેંદ્રમાં છ હાથ ઊંચું, બ્રહ્મલોક-લાંતકમાં પાંચ હાથ ઊંચું, મહાશુક્ર-સહસ્ત્રારમાં ચાર હાથ ઊંચું, ૯થી ૧૨ દેવલોકમાં ત્રણ હાથ ઊંચું, નવગ્રવેયકમાં બે હાથ ઊંચું અને અનુત્તરમાં એક હાથ ઊંચું દેવોનું શરીર હોય છે.
(૩) અહીં પરિગ્રહ શબ્દથી વિમાનોનો પરિવાર અભિપ્રેત છે. વૈમાનિક નિકાયમાં ઈદ્રક, શ્રેણિગત અને પુષ્યપ્રકીર્ણક એમ ત્રણ પ્રકારનાં વિમાનો હોય છે. બરોબર મધ્યમાં આવેલ વિમાનને ઇંદ્રક કહેવામાં આવે છે. ચાર દિશાઓમાં પંક્તિબદ્ધ આવેલાં વિમાનો શ્રેણિગત છે. છવાયેલાં પુષ્પોની જેમ છૂટાં છૂટાં રહેલાં વિમાનો પુષ્પ પ્રકીર્ણક કહેવાય છે. શ્રેણિગત વિમાનો ત્રિકોણ, ચતુષ્કોણ અને વાટલાકાર એમ ત્રણ પ્રકારનાં છે. તથા પ્રથમ ત્રિકોણ, ત્યારબાદ ચતુષ્કોણ, બાદ વાટલાકાર, બાદ ત્રિકોણ... એમ ક્રમશઃ આવેલાં છે. આ વિમાનો ઈદ્રક વિમાનથી ચારે દિશામાં શ્રેણિબધ્ધ આવેલાં છે. પુષ્પપ્રકીર્ણક વિમાનો નંદાવર્ત, સ્વસ્તિક વગેરે વિવિધ આકારવાળાં છે, તથા શ્રેણિગત વિમાનોના આંતરા વચ્ચે આવેલાં છે. પૂર્વ દિશા સિવાય ત્રણે દિશામાં આ વિમાનો હોય છે. તે તે દેવલોકનાં વિમાનોની સંખ્યા ‘સકલતીર્થ' સૂત્રમાં બતાવવામાં આવી છે. તેની કુલ સંખ્યા ૮૪૯૭૦૨૩ છે.
(૪) ઉપર ઉપરના દેવોમાં સુંદર સ્થાન, દેવો કે દેવીઓનો પરિવાર, સામર્થ્ય, અવધિજ્ઞાન, ઈદ્રિય શક્તિ, વિભૂતિ, શબ્દાદિ વિષયોની સમૃદ્ધિ વગેરે અધિક અધિક હોવા છતાં અભિમાન અલ્પ અલ્પ હોય છે. આથી ઉપર ઉપરના દેવો અધિક અધિક સુખી હોય છે.
wwwOVODOVODU
ર
- ક
ક
અને પ
અધ્યાય : ૪ • સૂત્ર : ૨૨ * ૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org