SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનપતિ દેવોના મુકુટમાં વિશેષ પ્રકારનાં ચિહ્નો હોય છે. શરીરનો વર્ણ પણ જુદો જુદો હોય છે. વસ્ત્રોનો વર્ણ પણ વિવિધ પ્રકારનો હોય છે. વ્યંતરનિકાયના આઠ ભેદોનાં નામો व्यन्तराः किन्नर-किंपुरुष-महोरग-गान्धर्व અક્ષ-રાક્ષસ-ભૂત-પિશાવા: ૪-૧૨ વ્યંતરાઃ કિન્નર-કંપુરુષ-મહોરગ-ગાન્ધર્વ યક્ષ-રાક્ષસ-ભૂત-પિશાચાઃ ૪-૧૨ વ્યંતરાઃ કિન્નર-કિપુરુષ-મહોરગ-ગાન્ધર્વ યક્ષ-રાક્ષસ-ભૂત-પિશાચાઃ ૪-૧૨ કિન્નર, ઝિંપુરુષ, મહોરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ પ્રમાણે વ્યંતર નિકાયના આઠ ભેદોનાં નામો છે. વ્યંતરદેવો પર્વત, ગુફા, વન વગેરેના વિવિધ આંતરામાં રહેતા હોવાથી “અથવા ભવનપતિ અને જ્યોતિષ્ક એ બે નિકાયના આંતરામાં-મધ્યમાં રહેતા હોવાથી બંતર કહેવાય છે. વ્યંતરદેવો રત્નપ્રભા પૃથ્વીના ઉપરના હજાર યોજનમાંથી ઉપર નીચે સો સો યોજન છોડીને મધ્યના આઠસો યોજન પ્રમાણ ભાગમાં ઉત્પન્ન થાય છે. પણ તેમનો નિવાસ ઊર્ધ્વ, અઘો અને મધ્ય એમ ત્રણે લોકમાં છે. તેઓ ભવનો, નગરો અને આવાસોમાં રહે છે. આ દેવો ચક્રવર્તી આદિ પુણ્યશાળી મનુષ્યોની પણ સેવકની જેમ સેવા કરે છે. ત્રીજા જ્યોતિષ્ક નિકાયના પાંચ ભેદોનાં નામો ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो-ग्रह-नक्षत्र-प्रकीर्णकतारकाच જ્યોતિષ્ઠાઃ સૂર્યાશ્ચન્દ્રમસો-ગ્રહ-નક્ષત્ર-પ્રકીર્ણકતારકાશ્ચ ૪-૧૩ જ્યોતિષ્ઠાઃ સૂર્યા ચક્રમસઃ- ગ્રહ-નક્ષત્રપ્રકીર્ણકતારકાઃ ચ ૪-૧૩ ' રાજ અધ્યાય : ૪ • સૂત્ર : ૧૨-૧૩ ૪ ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy