________________
----
-
-
અને વ્યંતર નિકાયમાં બે બે ઈદ્રો છે. ભવનપતિના અસુરકુમાર આદિ દશ ભેદો આગળ જણાવશે. અસુરકુમાર આદિ પ્રત્યેક ભેદના દેવોમાં બે બે ઈદ્રો હોવાથી ભવનપતિના કુલ ૨૦ ઈદ્રો છે. | વ્યંતરનિકાયના વ્યંતર અને વાણવ્યંતર એમ બે ભેદો છે. તે બંનેના અવાંતર ભેદો આઠ આઠ છે. પ્રત્યેક અવાંતર ભેદના દેવોમાં બે બે ઈદ્રો હોવાથી વ્યંતરના ૧૬ અને વાણવ્યંતરના ૧૬ મળી બંતરનિકાયના કુલ ૩ર ઇદ્રો છે. જ્યોતિષ્ક નિકાયના સૂર્ય અને ચંદ્ર એમ બે ઈદ્રો છે. વૈજ્ઞાનિક નિકાયના પ્રથમના ૮ દેવલોકના ૮ ઈદ્રો અને ૯-૧૦ મા દેવલોકનો એક ૧૧-૧૨ મા દેવલોકનો એક એમ કુલ ૧૦ ઈદ્રો છે. આ સર્વ ઈદ્રોની સંખ્યા ૬૪ થાય છે. આ ચોસઠ ઈદ્રો દરેક તીર્થંકરનો જન્મ થતાં તેમને મેરુ પર્વતના શિખર ઉપર આવેલા પાંડુક વનમાં લાવે છે, અને તે વનમાં રહેલી શિલાઓ ઉપર આવેલ સિંહાસન ઉપર તેમનો જન્માભિષેક કરે છે. , યદ્યપિ જ્યોતિષ્ક દેવોમાં દરેક સૂર્યવિમાનમાં અને દરેક ચંદ્રવિમાનમાં એક એક ઈદ્ર હોય છે. સૂર્યવિમાનો તથા ચંદ્રવિમાનો અસંખ્યાતા છે. આથી ઈદ્રો પણ અસંખ્યાતા છે. છતાં અહીં જાતિની અપેક્ષાએ જ્યોતિષીના બે જ ઈદ્રોની ગણતરી કરી છે. વૈમાનિકના ૧૨ દેવલોકથી ઉપર નવ રૈવેયક અને પાંચ અનુત્તર આવેલા છે. ત્યાંના દેવો કલ્પાતીત (- કલ્પથી રહિત) હોવાથી ત્યાં ઈદ્ર વગેરે ભેદો નથી.
ભવનપતિ અને વ્યંતરનિકાયમાં વેશ્યા पीतान्तलेश्याः પીતાન્તલેશ્યાઃ ૪-૭
પીત-અન્ત-શ્યાઃ ૪-૭ પૂર્વના બે નિકાય પીલેશ્યા સુધીની વેશ્યાવાળા - વેશ્યા જેવા શારીરિક વર્ણવાળા છે. અહીં વેશ્યા શબ્દનો પ્રયોગ શારીરિક, વર્ણના અર્થમાં કરવામાં
અધ્યાયઃ ૪ • સૂત્રઃ ૭ ૧૦૯ |
૪-૭
-
-
-
-
-
DODO
.
.
.
...
.
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org