SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ અધ્યાય દેવોના ભેદો देवाश्चतुर्निकायाः દેવાશ્ચતુર્નિકાયાઃ દેવાઃ ચતુઃ નિકાયાઃ દેવો ચાર નિકાયના – પ્રકારના છે. Jain Education International અહીં નિકાય શબ્દ પ્રકાર-જાતિ અર્થમાં છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્મ અને વૈમાનિક એમ દેવોના ચાર પ્રકાર છે. રત્નપ્રભા પૃથ્વીનું પિંડ ૧ લાખ ૮૦ હજાર યોજન છે. તેમાં ઉપર નીચેના એક એક હજાર યોજન છોડીને મધ્યના ૧ લાખ ૭૮ હજા૨ યોજનમાં ભવનપતિ દેવોના નિવાસો છે. ઉપરના જે એક હજાર યોજન છોડેલા છે તેમાંથી ઉપરના અને નીચેના સો સો યોજન છોડીને બાકીના આઠસો યોજનમાં વ્યંતર દેવોના નિવાસો છે. ઉપરના સો યોજનમાંથી ઉપરનીચે દશ દશ યોજન છોડીને મધ્યના એંશી યોજનમાં વાણ વ્યંતર દેવોના નિવાસો છે. સમભૂતલા પૃથ્વીથી ઊંચે (ઊર્ધ્વ) ૭૯૦ યોજન બાદ ૧૧૦ યોજન પ્રમાણ વિસ્તારમાં જ્યોતિષ દેવો વસે છે. ત્યારબાદ કંઈક અધિક અર્ધરજ્જુ ઉપર ગયા બાદ વૈમાનિક દેવોની હદ શરૂ થાય છે. અહીં ભવનપતિ આદિ દેવોનું જે સ્થાન બતાવવામાં આવ્યું છે, તે જન્મને આશ્રયીને છે. પોતપોતાના ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થયેલા ભવનપતિ આદિ દેવો લવણ સમુદ્ર આદિ સ્થળે આવેલા નિવાસોમાં પણ રહે છે. તથા જંબુદ્વીપની જગતી ઉપર આવેલી વેદિકા ઉપર અને અન્ય રમણીય સ્થળોમાં ક્રીડા કરે છે. મધ્યલોકમાં જંબુદ્રીપથી અસંખ્ય દ્વીપ સમુદ્ર ગયા બાદ પણ વ્યંતર દેવોના આવાસો છે. ત્યાં કોઈ વ્યંતર દેવ ઉત્પન્ન ન થાય. પૂર્વે બતાવેલા સ્થાને ઉત્પન્ન થયેલા વ્યંતરો ત્યાં નિવાસ કરે છે. અધ્યાય : ૪ . ૪-૧ ૪-૧ ૪-૧ સૂત્ર ઃ ૧ ૪ ૧૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy