________________
તદુપરાંત વ્યવહારસિદ્ધ કાળ, અગ્નિ, ચંદ્ર-સૂર્યાદિનું પરિભ્રમણ, ઉત્પાતસૂચક ગાંધર્વનગર આદિ ચિહ્નો વગેરે પદાર્થો અઢી દ્વીપની બહાર હોતા નથી.
ભેદ છે.
મનુષ્યના ભેદો
૩-૧૫
૩-૧૫
૩-૧૫
મનુષ્યોના મુખ્યતયા આર્ય અને મ્લેચ્છ એમ બે
आर्या म्लेच्छाश्च
આર્યા મ્લેચ્છાશ્ર
આર્યાઃ મ્લેચ્છાઃ ૨
આર્ય એટલે શ્રેષ્ઠ. શિષ્ટ લોકને અનુકૂળ આચરણ કરે તે આર્ય. આર્યથી વિપરીત મનુષ્યો અનાર્ય-મલેચ્છ. આર્યોના છ ભેદ છે. ક્ષેત્ર, જાતિ, કુલ, કર્મ, શિલ્પ અને ભાષા.
૧. ક્ષેત્ર આર્ય : દરેક મહાવિદેહની ૩૨ ચક્રવર્તી વિજયો, દરેક ભારતના સાડાપચીસ દેશો તથા દરેક ઐરાવતના સાડાપચીસ દેશો આર્ય છે. આથી એ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનું ક્ષેત્ર આર્ય = ક્ષેત્રથી આર્ય છે. આર્યક્ષેત્રમાં જન્મેલા મનુષ્યો બહુધા સારા સંસ્કારવાળા અને સદાચારવાળા હોય છે. આર્યક્ષેત્રની ભૂમિ પવિત્ર હોય છે. ધર્મ આર્યક્ષેત્રમાં જ થઈ શકે છે. આથી જ મહાપુરુષોએ આર્ય ક્ષેત્રની મહત્તા બતાવી
છે.
૨. જાતિ આર્ય : ઈક્ષ્વાકુ, વિદેહ, હરિ, જ્ઞાત, કુરુ, ઉગ્ર, ભોગ વગેરે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જાતિ આર્ય છે.
Jain Education International
૩. કુલ આર્ય : કુલકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે ઉત્તમકુળોમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો કુલ આર્ય છે.
૪. કર્માર્થ : કર્મ એટલે ધંધો. અલ્પ પાપવાળો ધંધો કરનારા મનુષ્યો કર્મ આર્ય છે. જેમ કે વેપારી, ખેડૂત, સુથાર, અધ્યાપક વગેરે.
૯૮ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org