SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઘાડી તેમાં મદ્ય માંસ મઘ અને માખણ એ ચાર મહા વિગઈઓ ભરે છે. પછી જે સ્થાને અંડગોલિક મનુષ્યો રહે છે ત્યાં મઘ વગેરે લઈને આવે છે. તેમને દૂરથી જ જોઈને અંડગોલિકો મારવા દોડે છે. આથી વેપારીઓ થોડા થોડા આંતરે મઘ માંસ આદિથી ભરેલાં પાત્રો મૂકતા મૂકતા નાસવા માંડે છે. અંડગોલિકો તે પાત્રોમાંથી માંસાદિ ખાતા ખાતા દોડે છે. છેવટે વજશિલાના સંપુટો પાસે આવે છે. અને તેમાં મદ્ય માંસ વગેરે જોઈને ખાવા માટે તેની અંદર પ્રવેશ કરે છે. પછી વેપારીઓ પોતાના સ્થાને ચાલ્યા જાય છે. અંડગોલિકો વજ્રશિલાના સંપુટોમાં મદ્ય માંસ વગેરે ખાતાં પાંચ, છ, યાવત દશ દિવસો પસાર કરે છે. તેટલામાં તે વેપારીઓ બખતર પહેરી તલવાર વગેરે શસ્ત્રો લઈને ત્યાં આવી સાત-આઠ મંડલ કરીને તે સંપુટોને ઘેરી લે છે, અને તુરત સંપુટોને બંધ કરી દે છે. કારણ કે તેમાંથી જો એક પણ અંડગોલિક નીક્ળી જાય તો બધાને મારી નાખે એવો બળવાન હોય છે, પછી વેપારીઓ યંત્ર વડે તે વજ્રની ઘંટીમાં તેમને દળે છે. તે અત્યંત બળવાળા હોવાથી એક વર્ષ સુધી દળાય ત્યારે મરણ પામે છે. આથી એક વર્ષ સુધી સખત વેદના સહન કરે છે, તેમને દળતાં તેમનાં શરીરનાં અવયવો ચૂર્ણની જેમ બહાર નીકળતાં જાય છે. તેમાંથી વેપારીઓ તેનાં અંડની ગોળીઓ શોધી લે છે. તે અંડગોળીઓનો ઉપર કહ્યા મુજબ ઉપયોગ કરે છે. નારકોની આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તેલ્વેજ-ત્રિ-સપ્ત-શ-સપ્તવંશ-દાવિંશતિ-ત્રિશત્ सागरोपमाः सत्त्वानां परा स्थितिः તેષ્વક-ત્રિ-સપ્ત-દશ-સપ્તદશ-દ્વાવિંશતિ-ત્રયસ્ત્રિશત્ સાગરોપમાઃ સત્ત્વાનાં પરા સ્થિતિઃ તેષુ-એક-ત્રિ-સપ્ત-દશ-સપ્તદશ-ધાવિંશતિ-ત્રયસ્ત્રિશત્ સાગરોપમાઃ સત્ત્વાનાં પરા સ્થિતિઃ Jain Education International અધ્યાય : ૩ . સૂત્ર : ૬ ૭ ૮૯ For Private & Personal Use Only ૩-૬ ૩ ૩-૬ www.jainelibrary.org
SR No.004528
Book TitleTattvamimansa
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherNilaben and Ashokbhai Choksi
Publication Year
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy